SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૬ અંગબાહ્ય આગમો નવી ખોદેલી લોઢું, તાંબુ, સીસું, ચાંદી, સોનું, રત્ન અથવા વજરત્નની ખાણમાં પ્રવેશ કરી આહારાદિ ગ્રહણ કરે, મોટું વિણા જેવું બનાવે, નાક વગેરેને વીણા જેવા બનાવે, પત્ર-ફૂલ-ફળ-બીજ વગેરેની વીણા બનાવે, ઉપર્યુક્ત વીણાઓ વગાડે, અન્ય પ્રકારના અવાજની નકલ કરે, ઔદેશિક – ઉદિષ્ટ શવ્યા વગેરેનો ઉપયોગ કરે, સામાચારી વિરુદ્ધ આચારવાળા સાધુ-સાધ્વીઓની સાથે આહારવિહાર કરે, મજબૂત તેમ જ આખા વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ વગેરે ભાંગીતોડીને ફેંકી દે, પ્રમાણથી વધુ લાંબુ રજોહરણ રાખે, બહુ નાનું અને પાતળું રજોહરણ રાખે, રજોહરણને અવિધિપૂર્વક બાંધે, રંગબેરંગી અથવા વિવિધ જાતિના દોરાનું રજોહરણ બનાવે, રજોહરણ પોતાનાથી ઘણું દૂર રાખે અથવા ગમનાગમન સમયે રજોહરણ પાસે ન રાખે, રજોહરણ પર બેસે, રજોહરણ મસ્તક નીચે રાખે, રજોહરણ પર સૂવે તેના માટે માસ-લઘુ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. છઠ્ઠો ઉદેશ : છઠ્ઠા ઉદેશમાં મૈથુન સંબંધી ક્રિયાઓ માટે ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન અર્થાત્ ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. તે ક્રિયાઓ આ પ્રમાણે છે :- સ્ત્રીને મૈથુન સેવન માટે પ્રાર્થના કરવી, મૈથુનની ઇચ્છાથી હસ્તકર્મ કરવું, સ્ત્રીની યોનિમાં લાકડી વગેરે નાખવી, પોતાના લિંગનું પરિમર્દન કરવું, પોતાના અંગાદાનની તેલ વગેરેથી માલિશ કરવી, અચિત્ત છિદ્ર વગેરેમાં અંગાદાનનો પ્રવેશ કરી શુક્ર-પુગલ કાઢવા, વસ્ત્ર દૂર કરી નગ્ન થવું, નિર્લજ્જ વચનો બોલવાં, ક્લેશ કરવો, ક્લેશકારી વચનો બોલવાં, વસતિ છોડી બીજે જવું, વિષયભોગ માટે લેખ લખવા-લખાવવા, લેખ લખવા-લખાવવાની ઇચ્છાથી બહાર જવું, ગુદા અથવા યોનિમાં લિંગ નાખવું વગેરે. સાતમો ઉદેશ : - આ ઉદેશમાં પણ મૈથુન વિષયક ક્રિયાઓ પર જ પ્રકાશ પાડવામાં આવ્યો છે અને તે માટે ચાતુર્માસિક અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. તે ક્રિયાઓ નીચે પ્રમાણે છે -મૈથુનની અભિલાષાથી તૃણમાલા, મુંજમાલા, દંતમાલા, શૃંગમાલા, શંખમાલા, પત્રમાલા, પુષ્પમાલા, ફલમાલા, બીજમાલા વગેરે બનાવી રાખવી અને ધારણ કરવી, લોહ, તામ્ર, રૌણ, સુવર્ણ વગેરેનો સંચય અને ઉપભોગ કરવો, હાર, અર્ધહાર, એકાવલી, મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, કટક, તુડિય, કેયૂર, કુંડલ, પંજલ, મુકુટ, પ્રલંબસૂત્ર, સુવર્ણસૂત્ર વગેરે બનાવવા અને ધારણ કરવા, ચર્મના વિવિધ પ્રકારના વસ્ત્રો બનાવવા અને ધારણ કરવા, સુવર્ણના વિવિધ પ્રકારના વસ્ત્રો બનાવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy