SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ અંગબાહ્ય આગમો ઉપર એક રજાણ હતું અને આ રજસ્ત્રાણ ઉપર દુકૂલ બિછાવવામાં આવ્યું હતું. સિંહાસન શ્વેતવર્ણના એક વિજયદૂષ્યથી સુશોભિત હતું, તેની વચમાં એક અંકુશ (અંકુશના આકારની ખીલો) ટાંગ્યો હતો, જેમાં મોતીઓની એક મોટી માળા લટકી રહી હતી. આ માળાની ચારે બાજુ ચાર માળાઓ હતી. આ માળાઓ સોનાના અનેક લંબૂસગો (ઝૂમખાં)થી શોભતી હતી અને અનેક હાર, અર્ધહાર તથા રત્નો વડે ચમકી રહી હતી. આ સિંહાસન પર સૂર્યાભદેવની પટરાણીઓ, તેના કુટુંબ પરિવાર તથા અંતરંગ પરિષદના સેનાપતિ વગેરેને બેસવા માટે ભદ્રાસનો બિછાવવામાં આવેલ હતાં (૪૨-૪૪). વિમાન સજ્જ થઈ ગયું એટલે આભિયોગિક દેવોએ સૂર્યાભદેવને તેની જાણ કરી. જાણ થતાં સૂર્યાભદેવ પરમ હર્ષિત થયો અને પોતાની પટરાણીઓ, ગંધર્વો તથા નાટ્યકારો વગેરેની સાથે સોપાન દ્વારા વિમાનમાં ચડી સિંહાસન પર બિરાજમાન થયો. બીજા દેવતાઓ પણ પોતપોતાના આસનો પર યથાસ્થાન બેસી ગયા (૪પ૪૬), વિમાનની આગળ સહુ પ્રથમ આઠ મંગળ સ્થાપિત કરવામાં આવ્યાં. ત્યારબાદ પૂર્ણ કળશ, ભંગાર (ઝારી), છત્ર અને ચામર સજાવવામાં આવ્યાં. વિજય-વૈજયંતી નામની પતાકા ફરકાવવામાં આવી. ત્યારબાદ દંડ અને સુશોભિત શ્વેત છત્ર તથા પાદપીઠ અને પાદુકાઓની જોડી સાથે સિહાસનને ઘણા બધા દેવો ઊપાડીને ચાલતા હતા. તેની પછી પતાકાઓ અને ઈન્દ્રધ્વજ હતાં. તેમની પાછળ પોતાના લશ્કર સાથે સેનાપતિઓ બેઠા હતા અને તેની પછી અનેક દેવી-દેવતાઓ હતા. સૂર્યાભદેવ અને દેવી-દેવતાઓને લઈને વિમાન ખૂબ વેગપૂર્વક ચાલી રહ્યું હતું (૪૭). " આ વિમાન સૌધર્મ દેવલોકથી ઊપડીને અસંખ્ય દ્વીપ-સમુદ્રોને ઓળંગતું ભારતવર્ષમાં આવી પહોંચ્યું અને પછી આમલકપ્પા નગરી તરફ ફરી આમ્રશાલવન ચૈત્યમાં ઊતર્યું. પોતાના કુટુંબ-પરિવારસહિત વિમાનમાંથી ઊતરી સૂર્યાભદેવે મહાવીરની પ્રદક્ષિણા કરી અને નમસ્કારપૂર્વક તેમની પાસે બેસી વિનયપૂર્વક તેમની પર્યાપાસના કરવા લાગ્યો (૪૮-૫૦). ત્યારપછી મહાવીરે ધર્મોપદેશ આપ્યો. ઉપદેશ સાંભળી આમલકપ્પાના રાજા, રાણી તથા અન્ય નગરવાસીઓ પોતપોતાના સ્થાને પાછા ફર્યા. આ અવસરે સૂર્યાભદેવે મહાવીરને કેટલાક પ્રશ્નો પૂળ્યા અને પછી ગૌતમ વગેરે નિગ્રંથ શ્રમણોની સમક્ષ ૧. પ્રાચીન કાળમાં ઈન્દ્રના માનમાં સમયે ઈન્દ્રમહ નામનો ઉત્સવ ખૂબ ઠાઠપૂર્વક ઉજવવામાં આવતો. આ અવસરે લોકો ઈન્દ્રધ્વજની પૂજા કરતા. જુઓ–ઉત્તરાધ્યયન ટીકા (નેમિચંદ્ર) ૮ પૃ. ૧૩૬ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy