SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ અંગબાહ્ય આગમો ખૂબ ઠાઠમાઠપૂર્વક ઈન્દ્રાભિષેક સમાપ્ત થયા પછી વસ્ત્રાલંકાર વડે વિભૂષિત થઈ સૂર્યાભદેવ વ્યવસાયસભામાં આવ્યો અને પોતાના પુસ્તકનો સ્વાધ્યાય કરવા લાગ્યો. પછી સિદ્ધાયતનમાં જઈ તેણે જિનપ્રતિમાનું પ્રક્ષાલન કરી તેના પર ચંદનનો લેપ કર્યો અને તેને શુદ્ધ કપડાંથી લૂછી દેવદૂષ્યથી વિભૂષિત કરી અલંકારો પહેરાવ્યાં. ત્યારબાદ પ્રતિમા પર પુષ્પ, માળા, ગંધ, ચૂર્ણ, વર્ણ, વસ્ત્ર, આભરણો વગેરે ચડાવ્યાં, તેની સામે ચોખાના આઠ મંગલ બનાવ્યા, ધૂપ, દીપર પેટાવ્યા અને પછી તે ૧૦૮ છંદો વડે સ્તુતિ કરવા લાગ્યો (૧૩૫-૧૩૯). સૂર્યાભદેવને આ અતુલ ઋદ્ધિ કયા શુભ કર્મો દ્વારા પ્રાપ્ત થઈ તેનો ઉત્તર બીજા ભાગમાં આપવામાં આવ્યો છે (૨૪૧). રાજા પએસીની કથા : કેક અર્ધ જનપદમાં સેયવિયા નામની નગરી હતી. તેની ઉત્તર-પૂર્વમાં મૃગવન નામનું એક સુંદર ઉદ્યાન હતું. આ નગરીનો રાજા પએસી હતો. તે ઘણો અધામિક, પ્રચંડ અને ક્રોધી હતો તથા માયા, વંચના અને કૂડકપટ ૧. આ પ્રસંગે પુસ્તકનો દોરો, ગાંઠ, લિપ્યાસન (ખડિયો), ઢાંકણ, શાહી, કલમ અને કંબિયા (પટ્ટિકા–પૂંઠું)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે (સૂત્ર ૧૩૧). ૨. સૂર્યાભદેવની ચૈત્યવંદન-વિધિ સંબંધી મતભેદ હોવાનું પ્રતિપાદન કરતાં ટીકાકાર મલયગિરિએ એટલું જ કહીને સંતોષ માની લીધો છે કે તત્ત્વ તો કેવલી જાણે છે (સૂત્ર ૧૩૯ ટીકા, પૃ. ૨૫૯). ૩. જૈન ગ્રન્થોમાં ૨૫૧, દેશોની ગણના આર્યક્ષેત્રમાં કરવામાં આવી છે એટલે કે આ દેશોમાં જૈન શ્રમણો વિહાર કરી શકતા. કેકયાર્ધ ( કના અર્ધા ભાગોને આર્યક્ષેત્ર માનવાનું કારણ એ જ હોઈ શકે કે આ દેશના કેટલાક જ ભાગમાં શ્રમણોનો પ્રભાવ રહ્યો હશે. કેકય દેશ શ્રાવસ્તીની ઉત્તર-પૂર્વમાં નેપાળની ખીણમાં હતો. સેયવિયાને બૌદ્ધ સાહિત્યમાં સેતવ્યા કહેવામાં આવેલ છે. મહાવીરે ત્યાં વિહાર કર્યો હતો. આ સ્થાન શ્રાવસ્તી (સહેટ મહેટ)થી ૧૭ માઈલ અને બલરામપુરથી ૬ માઈલ દૂર આવેલ હતું. ૪. બૌદ્ધોના દીઘનિકાયમાં પાયાસિસુત્તમાં રાજા પાયાસિના આ જ પ્રકારના પ્રશ્નોત્તરોનું વર્ણન છે. અહીં પાયાસિને કોશલના રાજા પાસેનદિના વંશજ બતાવવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy