SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ રાજપ્રશ્નીય ૪૫ રાજન્ય, ઈક્વાકુ, જ્ઞાન, કૌરવ્ય, બ્રાહ્મણ વગેરે બધા લોકો નહાઈ-ધોઈ અને વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈ, ઘોડા, હાથી વગેરે પર સવાર થઈ જઈ રહ્યા છે ? કંચુકી પુરુષને બોલાવીને કોલાહલનું કારણ પૂછતાં ચિત્તને જાણવા મળ્યું કે કેશીકુમાર ચૈત્ય કોઠમાં પધાર્યા છે અને નગરવાસીઓ તેમને વંદના કરવા જઈ રહ્યા છે (૧૪૩-૧૪૮). " આ સાંભળી ચિત્ત સારથીએ કૌટુંબિક પુરુષને બોલાવીને તેને પોતાનો અશ્વરથી સજ્જ કરવાનો આદેશ કર્યો. ત્યારપછી સ્નાન વગેરે કરી અને વસ્ત્રાભૂષણો વડે સજ્જ થઈ, પોતાના નોકર-ચાકરો સાથે તે કોઇક ચૈત્યમાં પહોંચ્યો. તેણે કેશીકુમારની પ્રદક્ષિણા કરી, તેમને નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક તેમની પર્યુપાસનામાં લીન થઈ ગયો. કેશીકુમારે સભાના સભ્યોને ચાતુર્યામ ધર્મ – સર્વપ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ અને બહિદ્ધાદાનવિરમણનો ઉપદેશ આપ્યો (૧૪૯). ચિત્ત સારથી કેશીકુમારનો ઉપદેશ સાંભળી બહ પ્રસન્ન થયો. કેશીકુમારને નમસ્કાર કરી તે કહેવા લાગ્યો – ભંતે ! નિગ્રંથ-પ્રવચનમાં હું વિશ્વાસ કરું છું, મને તે રૂચિકર છે, તે સત્ય છે, તે ઈષ્ટ છે. કેટલાય ઉગ્ર, ભોગ અને ઈભ્યો વગેરે વિપુલ હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, બલ, વાહન, કોશ અને ધનસંપત્તિનો ત્યાગ કરી મુંડિત બની અનગાર-ધર્મમાં દીક્ષિત થઈ રહ્યા છે, પરંતુ હું એમ કરવા માટે અસમર્થ છું. આવી હાલતમાં હે દેવાનુપ્રિય ! હું આપની પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત ગ્રહણ કરી ગૃહસ્થ-ધર્મનું પાલન કરવા ઈચ્છું છું. ત્યારપછી ચિત્ત સારથી નિગ્રંથ-પ્રવચનમાં શ્રદ્ધાશીલ, દાનશીલ બનીને ચતુર્દશી, અમી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે પ્રોષધ કરતો તથા નિગ્રંથ-શ્રમણોને નિર્દોષ અશન, પાન, આસન, શય્યા વગેરે માટે નિમંત્રિત કરતો આત્મચિંતનમાં લીન રહેવા લાગ્યો (૧૫૦-૧૫૧). કેટલોક સમય જતાં જિતશત્રુએ રાજા પએસીને કેટલીક ભેટ-સોગાદ મોકલવાનો વિચાર કર્યો. ચિત્ત સારથીને બોલાવી તેણે આદેશ આપ્યો – “હે ચિત્ત ! તું આ ભેટ-સોગાદ રાજા પએસીને પહોંચાડ અને નિવેદન કર કે મારે લાયક કોઈ કામ-સેવા હોય તો કહેવડાવે.” સેયવિયા માટે પ્રસ્થાન કરતાં પહેલાં ચિત્ત સારથીએ કેશીકુમાર પાસે પહોંચીને નિવેદન કર્યું – ભંતે ! જિતશત્રુ પાસેથી વિદાય લઈ આજે હું પાછો વળી રહ્યો છું. ૧. સ્થાનાંગની ટીકા (પૃ. ૨૦૨)માં બહિદ્ધાનો અર્થ મૈથુન અને આદાનનો અર્થ પરિગ્રહ કરવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy