SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અંગબાહ્ય આગમો સમવાયાંગનું, " સૂરપન્નત્તિને ભગવતીનું, જંબુદ્દીવપન્નત્તિને નાયાધમ્મકહાઓનું, ચંદપન્નત્તિને ઉવાસગદસાઓનું, નિરયાવલિયાને અંતગડદસાઓનું, કપ્પવર્ડસિઆઓને અણુત્તરોવવાયદસાઓનું, પુષ્કિઆઓને પણહવાગરણાઇનું, પુફચૂલિઆઓને વિવાગસુયનું તથા વહિદસાઓને દિક્ટિવાય અંગનું ઉપાંગ માનેલ છે. સ્વયં ઉવવાઇયના ટીકાકાર અભયદેવસૂરિ (૧૧મી શતાબ્દી) ઉવવાઇયને આયારાંગનું ઉપાંગ માને છે. રાયપાસેણઈયના ટીકાકાર મલયગિરિ (૧૨મી શતાબ્દી)એ પણ રાયપાસણયને સૂયગડંગનું ઉપાંગ પ્રતિપાદિત કરતાં કહ્યું છે કે અક્રિયાવાદી મત સ્વીકાર કરીને જ રાયપાસેણદયમાં ઉલ્લિખિત રાજા પ્રદેશીએ જીવવિષયક પ્રશ્ન કર્યો છે, એટલા માટે રાયપાસેણદયને સૂયગડંગનું ઉપાંગ માનવું યોગ્ય છે. પરંતુ જોવામાં આવે તો જેવી રીતે જીવાભિગમ અને ઠાણાંગનો, સૂરપન્નત્તિ અને ભગવતીનો, ચંદપન્નત્તિ અને ઉવાસગદસાઓનો તથા વહિદસાઓ અને દિદ્ધિવાયનો પારસ્પરિક સંબંધ સિદ્ધ થતો નથી, તેવી જ રીતે રાયપાસેણદય અને સૂયગડંગ વચ્ચે પણ કોઈ સંબંધ નથી. દ્વાદશ ઉપાંગોનો ઉવવાય વગેરે ક્રમ પણ ઐતિહાસિક દષ્ટિએ યોગ્ય જણાતો નથી. ઉદાહરણ રૂપે, પન્નવણા નામક ચતુર્થ ઉપાંગના કર્તા આર્ય શ્યામને ગણવામાં આવે છે જેઓ મહાવીર-નિર્વાણના ૩૭૬ (અથવા ૩૮૬) વર્ષ પછી જીવંત હતા છતાં પણ તેને પહેલું ઉપાંગ ન માનતાં ચોથું ઉપાંગ માનવામાં આવ્યું છે. ઉપાંગ-સાહિત્યમાં જ નહિ, અંગ-સાહિત્યંમાં પણ વાચના-ભેદ તથા દુષ્કાળ વગેરે અસાધારણ પરિસ્થિતિઓના કારણે અનેક સૂત્રોનું સ્નલન થઈ જવાથી જૈન આગમ-સાહિત્યમાં અનેક સ્થળે વિશૃંખલતા ઉત્પન્ન થઈ ગઈ છે જેનો ઉલ્લેખ આગમગ્રંથોના ટીકાકારોએ કર્યો છે. ઉદાહરણ રૂપે સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિનો વિષય એક હોવા છતાં પણ તેમને ૧. યશોદેવસૂરિએ પમ્બિયસુત્તમાં પ્રજ્ઞાપના અને બૃહત્વજ્ઞાપના બંનેને સમવાયાંગનાં ઉપાંગો કહ્યાં છે. જુઓ–એચ.આર.કાપડિયા, હિસ્ટ્રી ઓફ ધી કેનનિલ લિટરેચર ઑફ ધી જૈન્સ, પૃ. ૩૧. ૨. જુઓસ્થાનાંગ-ટીકા, પૃ. ૪૯૯ અ વગેરે– सत्संप्रदायहीनत्वात् सदूहस्य वियोगतः । सर्वस्वपरशास्त्राणामदृष्टेरस्मृतेश्च मे ॥ वाचनानामनेकत्वात् पुस्तकानामशुद्धितः । सूत्राणामतिगांभीर्यान्मतभेदाच्च कुत्रचित् ॥ क्षूणानि संभवन्तीह केवलं सुविवेकिभिः । सिद्धान्तानुगतो योऽर्थः सोऽस्माद् ग्राह्यो न चेतरः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy