SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અંગબાહ્ય આગમો કરતા હતા, વર્ષાકાળ છોડીને બાકીના આઠ મહિના એક સ્થળેથી બીજા સ્થળે ભ્રમણ કર્યા કરતા અને ગામમાં એક રાતથી વધુ તથા નગરમાં પાંચ રાતથી વધુ નિવાસ કરતા ન હતા. તે તપસ્વીઓ અનશન, અવમૌદર્ય, ભિક્ષાચર્યા (વૃત્તિસંક્ષેપ), રસપરિત્યાગ, કાયક્લેશ અને પ્રતિસંલીનતા નામે બાહ્ય તપ તથા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ નામે આવ્યંતર તપનું પાલન કરતા હતા. સૂત્રોનું વાચન, મનન અને ચિંતન કરતા કરતા તથા તપ અને ધ્યાન દ્વારા આત્મચિંતન કરતા કરતા તેઓ વિહાર કરતા હતા (૧૩-૧૪). ચંપા નગરીમાં શ્રમણ ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળતાં જ નગરવાસીઓમાં હલચલ મચી ગઈ. તેઓ એકબીજાને કહેવા લાગ્યા : “ભગવાન રામાનુગ્રામ વિહાર કરતા કરતા પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા છે. જો તેમના નામગોત્રનું શ્રવણ કરવું પણ મહાફળદાયક છે તો પછી તેમની પાસે પહોંચીને તેમની વંદના કરવી, કુશળ સમાચાર પૂછવા અને તેમની પર્યાપાસના કરવી શું ફળદાયક ન થાય ? ચાલો હે દેવાનુપ્રિયો! આપણે મહાવીરની વંદના કરીએ, તેમનો સત્કાર કરીએ અને વિનયપૂર્વક તેમની ઉપાસના કરીએ. તેનાથી આપણને આ લોક અને પરલોકમાં સુખની પ્રાપ્તિ થશે.” આમ વિચારી અનેક ઉગ્રો, ઉગ્રપુત્રો, ભોગો, ભોગપુત્રો, રાજન્યો, ક્ષત્રિયો, બ્રાહ્મણો, ભટો, યોદ્ધાઓ, પ્રશાસ્તાઓ, મલ્લકીઓ, લિચ્છવીઓ, લિચ્છવીપુત્રો તથા અનેક માંડલિક રાજાઓ, યુવરાજો, તલવરો (કોટવાળો), સીમા પ્રાંતના અધિપતિઓ, પરિવારના સ્વામીઓ, ઇભ્યો (ધનપતિઓ), શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ અને સાર્થવાહો વગેરે– કોઈ વંદન માટે, કોઈ પૂજન માટે, કોઈ દર્શન માટે, કોઈ કુતૂહલ શાંત કરવા માટે, કોઈ અર્થનિર્ણય કરવા માટે, કોઈ ન સાંભળેલી વાત સાંભળવા માટે, કોઈ સાંભળેલી વાતનો નિશ્ચય કરવા માટે તથા કોઈ અર્થ, હેતુ અને કારણો જાણવા માટે – પૂર્ણભદ્ર ચૈત્ય તરફ ચાલ્યા. કોઈએ કહ્યું અમે મુંડિત બની શ્રમણ૧. કાયક્લેશના ભેદો નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે– સ્થાનસ્થિતિક, સ્થાનાતિગ, ઉત્કટુક આસનિક, પ્રતિમાસ્થાયી, વીરાસનિક, નૈષધિક, દિંડાયતિક, લકુટશાયી, આતાપક, અપાવૃતક (વસ્ત્રરહિત બની તપ કરવું), અકÇયક (તપ કરતાં કરતાં શરીર ખંજવાળવું નહિ), અનિષ્ઠીપક (તપ કરતાં કરતાં ઘૂંકવું નહિ)–ઉવવાય (૧૯, પૃ. ૭૫) ૨. નવ મલકી અને નવ લિચ્છવી કાશી-કોશલના અઢાર ગણરાજાઓ હતા જેમણે વૈશાલીના રાજા ચેતક સાથે મળીને રાજા કૃણિક સાથે યુદ્ધ કર્યું હતું (નિરયાવલિયા ૧), પાવા નગરીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy