SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પપાતિક પ્રવ્રયા લઈશું, કોઈએ કહ્યું અમે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતોનું પાલન કરી ગૃહીધર્મ ધારણ કરીશું. ત્યારબાદ નગરવાસીઓ સ્નાન વગેરે કરી પોતાના શરીરને ચંદનથી ચર્ચિત કરી, સુંદર વસ્ત્રો અને માળા પહેરી, મણિ, સુવર્ણ તથા હાર, અર્થહાર, તિસરય (ત્રણ સેરનો હાર), પાલંબ (ગળાનું આભૂષણ) અને કટિસૂત્ર (કંદોરો) વગેરે આભૂષણો ધારણ કરી ભગવાન મહાવીરના દર્શન માટે નીકળ્યા. કોઈ ઘોડા, કોઈ હાથી, કોઈ રથ તથા કોઈ પાલખી પર સવાર થઈ અને કોઈ પગે ચાલી પૂર્ણભદ્ર ચૈત્ય પહોંચ્યા. શ્રમણ ભગવાન મહાવીરને દૂરથી જોઈને નગરવાસીઓ પોતપોતાના યાનો અને વાહનોમાંથી નીચે ઉતર્યા અને પછી ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વિનયપૂર્વક હાથ જોડી, તેમની ઉપાસનામાં લાગી ગયા (૨૭), સમાચાર-નિવેદક પાસેથી મહાવીરના આગમનના સમાચાર મળતાં રાજા કૃણિક અત્યંત પ્રસન્ન થયો. તેણે તરત જ પોતાના સેનાપતિને આદેશ આપ્યો-“હે દેવાનુપ્રિય! તરત જ હરિત્ન સજ્જ કરો, ચતુરંગિણી સેના તૈયાર કરો અને સુભદ્રા વગેરે રાણીઓ માટે અલગ અલગ યાન સજાવો. નગરીના શેરી-મહોલ્લાઓ સાફ કરાવી તેમાં જળછંટકાવ કરાવો, નગરીને માંચડાઓથી શોભાવો, ઠેર ઠેર ધ્વજાઓ અને પતાકાઓ ફરકાવો તથા ગોશીષ અને રક્તચંદનના થાપા લગાવી બધા સ્થળે અગરબત્તી વગેરેની ધૂપ ફેલાવો (૨૮-૨૯)." સેનાપતિએ હાથ જોડી રાજા કૃણિકની આજ્ઞા શિરોધાર્ય કરી. તેણે મહાવતને બોલાવ્યો અને તરત જ હસ્તિરત્ન તથા ચતુરંગિણી સેના સજ્જ કરવાનો આદેશ આપ્યો. સેનાપતિની આજ્ઞા મળતાં મહાવતે હસ્તિરત્નને ઉજ્વળ વસ્ત્રો પહેરાવ્યાં, કવચ વડે સજાવ્યો, વક્ષસ્થળમાં દોરડું બાંધ્યું, ગળામાં આભૂષણો અને કાનમાં કર્ણપૂર પહેરાવ્યાં, બંને તરફ ઝૂલ લટકાવી, અસ્ત્ર-શસ્ત્ર અને ઢાલથી સજ્જ કર્યો, છત્ર, ધ્વજા અને ઘંટડીઓ લટકાવી તથા પાંચ શિખાઓ વડે તેને વિભૂષિત કર્યો. ચતુરંગિણી સેના સજ્જ થઈ ગઈ એટલે મહાવતે સેનાપતિને જાણ કરી. ત્યારબાદ સેનાપતિએ યાનશાલિકને બોલાવીને સુભદ્રા વગેરે રાણીઓ માટેયાનો સજ્જ કરવાનો આદેશ આપ્યો. સેનાપતિની મહાવીરના નિર્વાણ સમયે મલ્લકા અને લિચ્છવી રાજાએ હાજર હતા અને તેમણે આ અવસરે સર્વત્ર દીપક પ્રગટાવી ઉત્સવ ઉજવ્યો હતો (કલ્પસૂત્ર ૧૨૮). ૧. પાંચ અણુવ્રતો – સ્થળ પ્રાણાતિપાત વિરમણ, સ્થૂળ મૃષાવાદ વિરમણ, સ્થૂળ અદત્તાદાન વિરમણ, સ્વદારસંતોષ, ઇચ્છાપરિમાણ. સાત શિક્ષાવ્રતો-અનર્થદંડ વિરમણ, દિવ્રત, ઉપભોગ-પરિભોગપરિમાણ, સામાયિક, દેશાવકાશિક, પ્રોષધોપવાસ, અતિથિસંવિભાગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy