SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ રાજપ્રશ્નીય ૫૩ ત્યારબાદ તેના પ્રજનનક (ભોજન ગ્રહણ કરવું), પ્રતિવર્યાપનક, પ્રચંક્રમણ (પગથી ચાલવું), કર્ણવેધ, સંવત્સર-પ્રતિલેખ (વર્ષગાંઠ) અને ચૂડોપનયન વગેરે સંસ્કારો કરવામાં આવ્યા. તે પછી ક્ષીર, મંડન, મજ્જન, અંક અને ક્રીડા કરાવનારી પાંચ ધાત્રીઓ, દેશ-વિદેશથી લાવવામાં આવેલી અનેક કુશળ દાસીઓ તથા અંતઃપુરના રક્ષણ માટે નિયુક્ત કરવામાં આવેલા વર્ષધર, કંચુકી અને મહત્તર વગેરે કર્મચારીઓ બાળકનું લાલન-પાલન કરવા લાગ્યા. ત્યારપછી તેને કલાચાર્ય પાસે મોકલવામાં આવ્યો, જ્યાં તેણે ૭૨ કળાઓનું શિક્ષણ મેળવ્યું અને તે અઢાર દેશી ભાષાઓમાં વિશારદ, ગીત-નૃત્યરસિક અને નાટ્યકળામાં કોવિદ બની ગયો. દૃઢપ્રતિજ્ઞના માતા-પિતાએ ઈછ્યું કે તે સાંસારિક વિષય-ભોગો તરફ વળે, પરંતુ જળકમળની માફક તે નિર્લેપભાવે સાંસારિક જીવન ગુજારવા લાગ્યો. કાળાંતરે દૃઢપ્રતિશે મોક્ષની પ્રાપ્તિ કરી (૨૦૭-૨૧૭). એ.આ. – ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy