________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫| સૂત્ર-૩૪, ૩૫ સામ્ય હોતે છતે, સદશ એવા પુદ્ગલોનો=સ્નિગ્ધપુદ્ગલનો સ્નિગ્ધપુદ્ગલની સાથે અને રૂક્ષપગલોનો રૂક્ષપુદ્ગલોની સાથે, બંધ થતો નથી=એકત્વપરિણામ થતો નથી. તે આ પ્રમાણે – તુલ્યગુણવાળા સ્નિગ્ધપુદ્ગલોનો તુલ્યગુણવાળા સ્નિગ્ધપુદ્ગલોની સાથે બંધ થતો નથી, તુલ્યગુણવાળા રૂક્ષપુદ્ગલોનો તુલ્યગુણવાળા રૂક્ષપુદ્ગલોની સાથે બંધ થતો નથી.
તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૫/૩૪ ભાષ્ય :
अत्राह - सदृशग्रहणं किमपेक्षत ? इति, अत्रोच्यते - गुणवैषम्ये सदृशानां बन्धो भवतीति । अत्राह - किमविशेषेण गुणवैषम्ये सदृशानां बन्यो भवतीति ?, अत्रोच्यते - ભાષ્યાર્ચ -
અહીં શંકા કરે છે – સદશનું ગ્રહણ ગુણસાગમાં સદશનો બંધ થતો નથી એ કથનમાં સદેશનું ગ્રહણ, શેની અપેક્ષા રાખે છે ? ‘ત્તિ' શબ્દ શંકાની સમાપ્તિ અર્થે છે. અહીં=આ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – ગુણવૈષમ્યમાં સ્નિગ્ધતા કે રૂક્ષતાના અંશરૂપ ગુણવૈષમ્યમાં, સદશનો બંધ થાય છે એ પ્રકારની અપેક્ષા સદશ ગ્રહણ રાખે છે.
ત્તિ” શબ્દ ઉત્તરની સમાપ્તિ અર્થે છે. અહીં આ પ્રકારના ઉત્તરમાં, પ્રશ્ન કરે છે – શું અવિશેષથી ગુણ વૈષમ્યમાં સદશનો બંધ થાય
રૂતિ’ શબ્દ પ્રશ્નની સમાપ્તિ અર્થે છે.
અહીં=એ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે=આગળના સૂત્રથી ઉત્તર આપે છે – ભાવાર્થ :
પૂર્વસૂત્રમાં કહ્યું કે ગુણસામ્યમાં સદશનો બંધ થતો નથી, તેથી અર્થથી પ્રાપ્ત થયું કે ગુણસામ્યમાં વિસદશનો બંધ થાય છે.
ત્યાં પ્રશ્ન થયો કે ગુણસામ્યમાં સદશનો બંધ થતો નથી એ કથનમાં સદશનું ગ્રહણ શું અપેક્ષા રાખે છે? તેના ઉત્તરરૂપે કહે છે –
ગુણવૈષમ્યમાં સદશનો બંધ થાય છે એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. પરંતુ એ અર્થમાં એકાંત નથી તેથી ગુણવૈષમ્યમાં સદશનો બંધ થાય છે તે સ્થાનમાં ભાષ્યકારશ્રી શંકા કરે છે –