________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૧
ભાષ્ય :
अत्राह
ભાષ્યાર્ચઃ
-
।। ૧૪મોધ્યાયઃ ।।
उक्ता जीवाजीवाः, अथास्स्रवः क ? इत्यास्रवप्रसिद्ध्यर्थमिदं प्रक्रम्यते
-
-
અહીં=પાંચમા અઘ્યાયની સમાપ્તિમાં, પ્રશ્ન કરે છે જીવ અને અજીવ કહેવાયા, હવે આશ્રવ શું છે ? તેથી આશ્રવની પ્રસિદ્ધિ માટે આ=છટ્ઠા અધ્યાયનો, પ્રક્રમ કરાય છે
.....
-
-
ભાવાર્થ:
પ્રથમ અધ્યાયમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યપ્ચારિત્ર મોક્ષમાર્ગ છે ત્યારપછી સમ્યગ્દર્શનનું લક્ષણ કરતાં કહ્યું કે ‘તત્ત્વાર્થશ્રદ્ધાન' એ સમ્યગ્દર્શન છે ત્યાં જિજ્ઞાસા થઈ કે તત્ત્વ શું છે ? તેથી કહ્યું કે જીવ-અજીવાદિ સાત તત્ત્વ છે. તે સાત તત્ત્વમાંથી જીવ-અજીવરૂપ બે તત્ત્વનું સ્વરૂપ બીજા અધ્યાયથી પાંચમા અધ્યાય સુધી બતાવ્યું. હવે જિજ્ઞાસા થાય કે તે સાત તત્ત્વમાંથી આશ્રવતત્ત્વ શું છે ? તેથી આશ્રવનો બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રી છઠ્ઠા અધ્યાયનો પ્રારંભ કરે છે
સૂત્રઃ
कायवाङ्मनःकर्म योगः ||६ / १ । ।
-
૭૫
સૂત્રાર્થ:
કાય, વાણી અને મનનું કર્મ યોગ છે. II૬/૧||
ભાષ્યઃ
कायिकं कर्म वाचिकं कर्म मानसं कर्म इत्येष त्रिविधो योगो भवति । कायात्मप्रदेशपरिणामो गमनादिक्रियाहेतुः काययोगः, भाषायोग्यपुद्गलात्मप्रदेशपरिणामो वाग्योगः, मनोयोग्यपुद्गलात्मप्रदेशपरिणामो मनोयोगः, स एकशो द्विविधः, शुभश्चाशुभश्च । तत्राशुभो हिंसास्तेयाब्रह्मादीनि कायिकः, सावद्यानृतपरुषपिशुनादीनि वाचिकः, अभिध्याव्यापादेर्ष्यासूयादीनि मानसः, अतो विपरीतः શુક્ષ્મ કૃતિ ।।૬/શા
ભાષ્યાર્થ :
कायिकं રૂતિ ।। કાયિક કર્મ, વાચિક કર્મ, માનસ કર્મ એ પ્રકારનો આ ત્રિવિધ યોગ છે. કાયા અને આત્મપ્રદેશોનો પરિણામ=કાયાથી યુક્ત આત્મપ્રદેશોમાં સ્પંદનાત્મક થતો પરિણામ, જે ગમનાદિ ક્રિયાનો હેતુ તે કાયયોગ છે.