________________
તત્વાર્થસૂત્રને શંખ, છીપ, કેડી વગેરે બેઈન્દ્રિય જીવે છે કંથવા, વીંછી શતપદી જૂ ઈન્દ્રગોપ, લીખ, માંકડ, વગેરે તેઈન્દ્રિય છે; ડાંસ, મચ્છર, પતંગીયા, ભમર, માખી વગેરે ચતુરિ ન્દ્રિય છે જ્યારે માણસ, ગાય, ભેંસ, સાપ, ગળી વગેરે પચેન્દ્રિય છે માસૂ૦ ૮
एगिंदिया पुढवीकाइया पंचथावरा सू० ९ મૂલાથ–પૃથિવીકાયિક આદિ પાંચ સ્થાવર એકેન્દ્રિય છે. સૂર ૯
તત્વાર્થદીપિકા-આપણે પ્રથમ સંસારી જીવનો એક પ્રકાર-સ્થાવર કો-હવે તેના પાંચ ભેદના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છે:
જે જીવમાં ફક્ત એક-સ્પર્શન ક્રિયા દેખાય છે તે પૃથ્વીકાયિક આદિ સ્થાવર કહેવાય છે. આદિ શબ્દથી અપકાયિક તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકનું ગ્રહણ થાય છે એ પાંચ પ્રકારનાં સ્થાવર જીવે છે પરંતુ દેશાત્ર પ્રાપ્તિરૂપ ગતિકિયાની અપેક્ષાથી તેજસ્કાયિક તથા વાયુકાયિક પણ ત્રસ કહેવાય છે સૂટ લાં
તત્વાર્થનિર્યુકિત-હવે પૂર્વોકત સ્થાવરોનું પ્રતિપાદન કરવા માટે કહે છે. એક સ્પશે. ન્દ્રિયવાળા જીવો સ્થાવર કહેવાય છે. પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક પાંચ સ્થાવર છે. સ્થાનાંગસૂત્રના પાંચમાં સ્થાનના પ્રથમ ઉદ્દેશકના ૩૯૪માં સૂત્રમાં કહ્યું છે–
સ્થાવરકાય પાંચ કહેવાય છે-(૧) પૃથ્વીસ્થાવરકાય (૨) અપ્રસ્થાવરકાય (૩) તેજસ્થાવરકાય (૪) વાયુસ્થાવરકાય અને (૫) વનસ્પતિસ્થાવરકાય સૂર ૯
तसा अणेगविहा अंडयाश्या મૂલાથ–ત્રસજીવ, અંડજ વગેરેના ભેદથી અનેક પ્રકારના છે પસૂત્ર ૧૦
તત્વાર્થદીપિકાઃ–પહેલા સામાન્યરૂપથી કહેવાઈ ગયેલા ત્રસજીના વિશેષ સ્વરૂપ અને ભેદ બતાવવા માટે કહે છે
ત્રસનામકર્મના ઉદયને આધીન દ્વીન્દ્રિય ઈન્દ્રિય, ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય વગેરે અગિ કેવળી પર્યન્ત છે. તે અનેક પ્રકારના હોય છે તેઓ આ પ્રમાણે છે–અડજ, જરાયુજ, રસજ, સંવેદ, સંમૂર્ણિમ ઉભિજજ અને ઔપપાતિક જીવને જન્મ ત્રણ પ્રકારને છે–ગર્ભ, સમૂર્ણિમ અને ઉપપાત આમાંથી અન્ડજ, પિતજ તથા જરાયુજ જીવ ગર્ભજન્મથી ઉત્પન્ન થાય છે. ઇંડાથી ઉત્પન્ન થનાર સાપ, ગોળી વગેરે અંડજ છે. જે વગર આવરણથી પેદા થાય છે. એવા સિંહ વાઘ, ચિત્તો વગેરે જરાયુજ છે. ચામડાના પાતળા-આવરણમાં ઉત્પન્ન થનાર ગાય ભેંસ. મનુષ્ય વગેરે પણ જરાયુજ કહેવાય છે. દારૂ વગેરે રસમાં પેદા થનાર કૃમિ વગેરે કીડા રસજ કહેવાય છે. પરસેવામાં ઉત્પન્ન થનાદ જૂ વગેરે સંસ્વેદજ જીવ છે. સ્ત્રી પુરુષના સમાગમ વગર ઉત્પન્ન થનાર જીવ સસ્મૃમિ કહેવાય છે. સાપ દેડકા મનુષ્ય વગેરે પણ સસ્મૃમિ જન્મથી ઉત્પન્ન થવાના કારણે સમૂછિમ કહેવાય છે. તે-શું તેઓ ત્રસજીવ છે. ? પતંગીયા વગેરે ઉદૂભિજજ કહેવાય છે. જયારે દેવ તથા નારક ઔપપાતિક હોય છે. સૂત્રો
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧