Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૩૦
તત્ત્વાર્થસૂત્રને આવી જ રીતે હિંસા આદિ કુકૃત્યના આચારથી નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. નરક અને નિગદ આદિમાં અનન્ત– અનન્ત જન્મ-મરણ કરીને ઘેરાતિઘેર દુઃખ સહન કરવા પડે છે.
જેમ હિંસકને અનેક અનર્થોનો સામનો કરે પડે છે તેવી જ રીતે અસત્યવાદી જન પણ દુઃખને ભાગી થાય છે. લેકમાં તેના વચન પર કઈ વિશ્વાસ કર્તા નથી અસત્ય ભાષણ કરનારની જીભ કાપી લેવામાં આવે છે, કાન અને નાકનું છેદન કરવામાં આવે છે. આ રીતે અસત્યવાદી અસત્યથી નિન્દનીય ફળ ભોગવે છે. પરલેકમાં તેને નરક આદિની તીવ્ર યાતનાઓ અને દુઃખ સહન કરવા પડે છે, આ રીતે અસત્ય ભાષણથી જીવ જુદા જુદા પ્રકારના દુઃખોથી યુક્ત થાય છે. બીજાની સાથે તેને વેર બંધાય છે. જીભ-છેદન વગેરેના કષ્ટ તેને પ્રાપ્ત થાય છે. આ બધાં પૂર્વોક્ત દોષની અપેક્ષાએ પણ તેને વધ-બન્ધન આદિ દુખેના વિશેષ કારણ પ્રાપ્ત થાય છે જેને અધ્યવસાય તીવ્ર હોય છે તે દીર્ઘ સ્થિતિ અને તીવ્ર અનુભાવ (રસ)વાળા કર્મો બાંધે છે. ફળસ્વરૂપ પરલોકમાં તીવ્ર અશુભ વેદના સહન કરે છે. અસત્યભાષણના આ પ્રકારના ફળ-વિપાકની વિચારણા કરનારના ચિત્તમાં તેનાથી અરુચિ ઉત્પન્ન થઈ જાય છે અને તે વિચારે છે કે અસત્યભાષણથી વિરત થવામાં જ શ્રેય છે. આ જાતના વિચારના ફળસ્વરૂપ તે અસત્યભાષણથી વિરત થઈ જાય છે.
જેવી રીતે પ્રાણાતિપાત અને અસત્ય ભાષણ કરનારને અનર્થોનો સામનો કરે પડે છે તેવી જ રીતે પારકાની માલિકીનું દ્રવ્ય અપહરણ કરવામાં આસક્ત ચારને પણ અનર્થ ભેગવવા પડે છે તે બધાને માટે ત્રાસદાયક હોય છે તે જેના ધનને ચેરે છે. તેને ઘણો જ ઉદ્વેગ ઉત્પન્ન થાય છે. આ પાપકૃત્યનું સેવન કરવાથી ચારને તાડન, પીડન ચાબુકેનો માર, હાથકડીજંજીરનું બંધન હાથ–પગ કાન નાક હોઠ આદિ અવયનું છેદન ભેદન, સ્વસ્ત્રહરણ વગેરે વગેરે દુષ્પરિણામ ભોગવવા પડે છે. પરલેકમાં પણ તેને નરક વગેરેની તીવ્ર યાતનાઓ ભેગવવી પડે છે. આથી ચોરીથી વિરત થઈ જવું એ જ કલ્યાણકારક છે. આ જાતની ભાવના ભાવનાર ચેરીથી નિવૃત્ત થઈ જાય છે. પરલોકમાં નરક આદિ ગતિમાં જઈને દુઃખ ભેગવે છે આથી મિથુનથી નિવૃત્તિ લઈ લેવી શ્રેયસ્કર છે આ પ્રકારની ભાવના ભાવનાર પુરુષ મૈથુનથીવિરકત થઈ જાય છે.
આ જ પ્રમાણે પરિગ્રહવાળા મનુષ્ય પર ચોર લુંટારા આક્રમણ કરે છે. જેવી રીતે કઈ પશ્રી માંસનો કકડે ચાંચમાં પકડીને ઉડી રહ્યું હોય તો માંસ ભક્ષણ કરવાવાળા બાજ વગેરે બીજા પક્ષીઓ તેના પર ત્રાટકે છે તેવી જ રીતે પરિગ્રહી પુરુષને ચેર વગેરે સતાવે છે. તેમને પ્રથમ તે ધન આદિ પરિગ્રહના ઉપાર્જન માટે દુઃખ સહન કરવા પડે છે પછીથી તે ધનની રક્ષા માટે પરિશ્રમ કરવો પડે છે; આ બધું કરવા છતાં પણ અન્તમાં જ્યારે તેને વિનાશ થઈ જાય છે ત્યારે અપાર-શેકને અનુભવ કરવો પડે છે.
જેવી રીતે સૂકાં ઇંધણથી અગ્નિને તૃપ્તિ થતી નથી તેવી જ રીતે લાલચુ પરિગ્રહીને ધનથી સંતોષ થતો નથી, પછી ભલે ગમે તેટલું જ કેમ પ્રાપ્ત ન થઈ જાય જે લોભથી અભિભૂત હોય છે, તે કર્તવ્ય-અકર્તવ્યના વિવેકથી રહિત થઈ જાય છે અને એ કારણે મહાન અનિષ્ટને
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧