Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 930
________________ ૨૨૮ તત્વાર્થસૂત્રને આથી હમેશા અભ્યાસ રૂપમાં પૌષ્ટિક રસના સેવનને ત્યાગ કરવો જોઈએ. બ્રહ્મચર્યની રક્ષા માટે આ બધાને ત્યાગ આવશ્યક છે. (૨૧-૨૫) આવી જ રીતે બાહ્ય તથા આત્યંતર પરિગ્રહથી રહિત શમણે મનેજ્ઞ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દની પ્રાપ્તિ થવાથી રાગ અને અમને જ્ઞ રૂપ આદિની પ્રાપ્તિ થવાથી દ્વેષ કર જોઈએ નહીં. આ ભાવનાઓથી અપરિગ્રહમહાવ્રતમાં દઢતા આવે છે. સમવાયાંગસૂત્રના પચીસમાં સમવાયમાં કહે છે–પાંચ મહાવ્રતની પચ્ચીસ ભાવનાઓ કહી છે તે આ પ્રમાણે છે–(૧) ઈર્યાસમિતિ (૨) મને ગુપ્તિ (૩) વચનગુપ્તિ (૪) આલેકિતપાનભેજન (૫) આદાનભાડમાત્રનિક્ષેપણ સમિતિ (૬) અનુવાચિભાષણું (૭) કોવિવેક (૮) લેભવિવેક (૯) ભયવિવેક (૧૦) હાસ્યવિવેક (૧૧) અવગ્રહાનુજ્ઞાપનતા (૧૨) અવગ્રહસીમાજ્ઞાનતા (૧૩) સ્વયમેવાવગ્રહાનુગ્રહણતા (૧૪) સાધાર્મિકેની અનુમતિ લઈને આહાર વગેરે ભેગવ (૧૫) સામાન્ય આહાર પાણીની અનુમતિ લઈને ભોગવવા (૧૬) સ્ત્રી–પશુ-પંડકરહિત શયનાસનને ત્યાગ કરવો (૧૭) સ્ત્રીકથાને ત્યાગ (૧૮) પૂર્વે ભગવેલા ભેગનું સ્મરણ ન કરવું (૧૯) સ્ત્રીઓની ઇન્દ્રિયેના અવલોકનને ત્યાગ કરવો (૨૦) પ્રણીતાહારવર્જિન (૨૧) શ્રોત્રે ન્દ્રિયાગોપરિત-શબ્દના વિષયમાં રાગ ન કરે (૨૨) ચક્ષુરિન્દ્રિયના વિષયમાં રાગ ન કરે (૨૩) ઘ્રાણેન્દ્રિયના વિષયમાં રાગ ન કર (૨૪) જીભઇન્દ્રિયના વિષયમાં રાગ ન કરે અને (૨૫) સ્પર્શનેન્દ્રિયના વિષયમાં રાગ ન કરવો. ૧રા 'हिंसादिसु उभयलोगे घोरदुहं चउग्गइभमणं च' સવા –હિંસાદિ પાપ કરવાથી આ લેકમાં અને પરલોકમાં ઘેર દુઃખ થાય છે અને ચારે ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે ૧૩ાા તત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાવ્રતમાંથી દરેકની પાંચ-પાંચ ભાવનાઓની પ્રરૂપણ કરવામાં આવી હવે–આવી ભાવનાઓનું નિરૂપણ કરીએ છીએ જે બધાં જ વ્રતની સ્થિરતા માટે સમાન છે – પ્રાણાતિપાત મૃષાવાદ, તેય, અબ્રહ્મચર્ય, અને પરિગ્રહ એ પાંચ આસનું સેવન કરવાથી બંને લોકમાં અર્થાત્ આ લેકમાં અને નરક આદિ પરલેકમાં ભયંકર પરિતાપના ભેગવવી પડે છે. આ આસવના ફલ સ્વરૂપ નરક આદિમાં ભયંકર યાતનાઓ ભેગવવી પડે છે. એ પ્રકારની ભાવના ભાવવી જોઈએ અર્થાતુ વારંવાર એવો વિચાર કરવો જોઈએ. આશય એ છે કે જે જીવ જ્ઞાનપૂર્વક ક્રિયાનું અનુષ્ઠાન કરે છે અને હિંસા આદિ પાપના આચરણથી આ લેક અને પરલોક સંબંધી અનર્થો થવાનું ચિંતન કરે છે નરક વગેરેમાં થનારા અત્યંત તીવ્ર યાતનાઓને વિચાર કરે છે તેની હિંસા આદિ કાર્યોમાં પ્રવૃત્તિ થતી નથી આથી એવી ભાવના કરવી જોઈએ કે હિંસા આદિ પાપોમાં સર્વત્ર દુખ જ દુઃખ છે. આ પાપનું સેવન કરવાવાળા નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા-આ ચાર ગતિઓમાં ભ્રમણ કર્યા કરે છે. ૧૩ તત્વાર્થનિર્યુકિત-આની પહેલાં પૂર્ણરૂપથી હિંસા આદિથી વિરમવા રૂપ પાંચ મહાવ્રત અને દેશવિરતિ રૂપ પાંચ અણુવ્રતમાંથી દરેકની સ્થિરતા માટે પાંચ-પાંચ ભાવનાઓનું શ્રી તત્વાર્થ સૂત્ર: ૧

Loading...

Page Navigation
1 ... 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032