Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૫ જબૂદ્વીપનું વિશેષ નિરૂપણ સૂ૦ ૨૧ ૩૦૩ ભદ્રશાલ વન, નન્દનવન, સૌમનસવન અને પાન્ડકવન ભદ્રશાલ વનથી પાંચસો જનની ઊંચાઈ પર નંદનવન છે નંદનવનથી સાડા બાસઠ હજાર જન ઉપર સૌમનસ વન છે અને સૌમનસ વનથી છત્રીસ હજાર જન ઉપર પાન્ડકવન છે. સુમેરૂની ચુલિકા ચાલીશ
જન ઉંચી છે તે ચૂલિકા ચારસો ચરાણું જન મધ્યાન્તર્ગત છે આ રીતે મધ્યમાં સુમેરુપર્વતવાળા જમ્બુદ્વીપ છે. જમ્બુદ્વીપનો વિસ્તાર કેટલો છે આવી આશંકા થવાથી તેને જવાબ આપવામાં આવ્યો––તેનો વિસ્તાર એક લાખ એજનને છે. જમ્મુ નામક વૃક્ષથી યુક્ત હોવાના કારણે આ દ્વિીપ જમ્બુદ્વીપ કહેવાય છે. તે જબૂવૃક્ષ ઉત્તર કુરુક્ષેત્રની મધ્યમાં છે અનાદિ-અનંત છે, પાર્થિવ અર્થાત્ પૃથ્વિનું પરિણમન અને સ્વાભાવિક છે. જમ્બુદ્વીપ આ જ વૃક્ષથી યુક્ત છે. ૨૧
તત્વાર્થનિર્યુક્તિ પહેલા કહેવામાં આવ્યું કે દ્વીપ અને સમુદ્ર વલય બંગડી જેવા ગોળ આકારના છે આ કથનથી જમ્બુદ્વીપ વલયાકાર હોવાને પ્રસંગ આવે છે, પણ તે વલયના આકારને નથી આથી પૂર્વોક્ત કથનને અપવાદ અહીં પ્રદર્શિત કરવામાં આવે છે –
જમ્બુદ્વીપ બધાં દ્વીપ-સમુદ્રોની અંદર છે અર્થાત્ સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત જેટલાં પણ દ્વીપ અને સમુદ્ર છે તે બધાંની અંદર છે. તે પ્રતરવૃત્ત અર્થાત્ કુંભારના ચાકડાની જેમ ગોળ જરૂર છે પણ બંગડી જે નથી. લવણ સમુદ્ર આદિને વલયના આકારના કહેવામાં આવ્યા છે અને જે વલયાકાર હોય છે તે ત્રિકોણ અને ચતુષ્કોણ પદાર્થોને પણ ઘેરી શકે છે. આવી સ્થિતિમાં જમ્બુદ્વીપને ત્રિકેણ અગર ચતુષ્કોણ સમજવાની ભૂલ ન થઈ જાય એ હેતુથી સૂત્રમાં “વૃત્ત” શબ્દ લેવામાં આવ્યા છે આથી સઘળાં દ્વીપ અને સમુદ્ર ગોળાકાર હોવા છતાં પણ જમ્બુદ્વીપ પ્રતરવૃત્ત છે જે કુંભારનો ચાકડે હોય છે. તે હાથમાં પહેરવામાં આવતી બંગડીના જેવો ગોળાકાર નથી જ્યારે તેની પછીના લવણું સમુદ્ર આદિ વલયની જેમ ગોળાકાર છે, પ્રતરવૃત્ત નથી.
જમ્બુદ્વીપ મેરનાભિક છે. અર્થાત્ તેની મધ્યભાગમાં મન્દરાચલપર્વત છે. જમ્મુદ્વીપને એક લાખ જનને વિસ્તાર છે. ભલે પૂર્વથી પશ્ચિમ સુધી માપવામાં આવે અથવા ઉત્તરથી દક્ષિણ સુધી, તેનું માપ સર્વત્ર એક લાખ જનનું જ હોય છે.
મેરુપર્વત સેનાના થાળના મધ્યસ્થાન સમાન ગળાકાર છે તેને એક હજાર એજન પરિમિત ભાગ ભૂમિ હેઠળ આવેલ છે જ્યારે નવ્વાણું હજાર એજન-પરિમિત ભાગ પ્રવિની ઉપર છે જે જોઈ શકાય છે. વૃશ્વિમાં સ્થિત જે એક હજાર એજન છે તેની લંબાઈ અને પહોળાઈ ૧૦૦૯૦ ૧ ભાગ છે. ઉપરના ભાગમાં જ્યાંથી શિખર શરૂ થાય છે ત્યાં એક હજાર જન છે તે પર્વત ત્રણ કોન્ડવાળો, ત્રણે લેકને સ્પર્શ કરનારો તથા ભદ્રશાલ, નન્દન સૌમનસ અને પાડુક નામક ચાર વનોથી ઘેરાયેલો છે.
એક વિશિષ્ટ પ્રમાણથી યુક્ત વિચ્છેદ અથવા રચના વિશેષને કાન્ડ કહેવામાં આવે છે ત્રણ કાર્ડોમાંથી પ્રથમ કાર્ડ તે છે જે ભૂમિની અન્દર છે. શુદ્ધ પૃવિ પાષાણ, વજ તથા શર્કરાની વિપુલતાવાળા છે અને એક હજાર ચાજન પરિમાણવાળા છે. બીજો કાડ પ્રવિની ઉપરથી શરૂ થાય છે, તે ત્રેસઠ હજાર એજનનો છે અને ચાંદી, સોનું, મેતી તથા સ્ફટિક
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧