Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૬
તત્વાર્થસૂત્રને
*
ગેત્રના બે ભેદ છે-ઉચ્ચ અને નીચ આત્મા જેને પ્રાપ્ત કરે છે તે ગેત્ર છે. આત્માના વીર્યમાં તથા લાભ આદિમાં જે અન્તરાય વિ નાખે છે તે અન્તરાય છે.
આવી રીતે જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ઉદયથી ઉત્પન્ન થવાવાળી ભવવ્યથા સમસ્ત સંસારી જીવોને થાય છે. તે ભવવ્યથાને વેદન કરતે થકે પણ જીવ મેહથી પીડીત હેવાના કારણે વિરક્ત થઈ શકતો નથી અને જ્યારે વિરક્ત થતું નથી તે નારકી, તિર્યંચ, દેવતા તથા મનુષ્ય ગતિમાં રખડે છે. જ્યારે કેઈ આયુષ્યમાં રહે છે. તે તેનું નારકી આદિ કઈને કઈ નામ અવશ્ય હોય છે કારણ કે નામ વગર જન્મ હેતે નથી. જન્મધારી પ્રાણી હમેશા ઊંચ અથવા નીચ શેત્રથી યુક્ત હોય જ છે. સંસારી જીવોને ત્યાં જે સુખને અનુભવ થાય છે તે પણ અન્તરાયવાળું અર્થાત્ વિથી પરિપૂર્ણ હોય છે. આ આઠ પ્રકારના મૂળપ્રકૃતિબંધ સમજવા જોઈએ. ૪
“પણ રામદાસ ચ ઇત્યાદિ મૂળસૂવાથ–મૂળ કમપ્રકૃતિઓના ક્રમશઃ પાંચ નવ બે, અઠયાવીસ ચાર બેંતાળીશ બે અને પાંચ ભેદ છે. એ પ
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં આઠ પ્રકારના મૂળપ્રકૃતિબંધ કહેવામાં આવ્યા છે. હવે સત્તાણું (૭) પ્રકારના ઉત્તરપ્રકૃતિ બન્ધની પ્રરૂપણ કરીએ છીએ
જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારના છે. દર્શનાવરણના નવ ભેદ છે. વેદનીયના બે, મેહનીયના અઠયાવીસ, આયુષ્યના ચાર, નામકર્મના બેંતાળીશ ગોત્રકર્મના બે અને અન્તરાયના પાંચ ભેદ છે. ૫ છે
તત્વાર્થનિયુક્તિ-પૂર્વસૂત્રમાં મૂળ પ્રકૃતિબન્ધનું-નિરૂપણ કરવામાં આવ્યું છે. આત્માના પ્રદેશે અને કર્મવર્ગણના પુદ્ગલસ્કોનું એકમેક થઈ જવું એ તેનું લક્ષણ છે. આ બન્ધના કારણે આત્મા અને કર્મ, અગ્નિ અને લોખંડના ગોળાની જેમ એકબીજામાં મળી ગયા હોય એવું પ્રતીત થાય છે. એ તે કહેવાઈ ગયું છે કે અન્ય આઠ પ્રકારના હોય છે
હવે ઉત્તરપ્રકૃતિબંધની પ્રરૂપણ કરીએ છીએ. તેના સત્તાણું (૭) ભેદ આ રીતે થાય છે.
જ્ઞાનાવરણપ્રકૃતિબન્ધના પાંચ ભેદ છે, દર્શનાવરણ પ્રકૃતિબન્ધના નવ (૯) ભેદ છે [૧૪] વેદનીય પ્રકૃતિબન્ધના બે (૨) [૧૬], મેહનીય પ્રકૃતિબંધના અઠયાવીસ (૨૮) [૪૪], આયુષ્યપ્રકૃતિબંધના ચાર (૪) [૪૮] નામપ્રકૃતિબંધના બેંતાળીશ (૪૨) (] ગેત્રપ્રકૃતિબંધને બે (૨) [૨] અને અન્તરાયપ્રકૃતિબંધના પાંચ (૫) એમ કુળ [૯૨૫=૯૭] ભેદ છે.
જ્ઞાનાવરણયના પાંચ ભેદ છે. સ્થાનાંગસૂત્રના પાંચમાં સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યું છેજ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારના કહેવાયા છે જેમકે–આભિનિધિકજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય, અને કેવળ જ્ઞાનાવરણીય. | દર્શનાવરણીય કર્મના નવ ભેદ છે. સ્થાનાંગસૂત્રના નવમાં સ્થાનમાં કહ્યું છે-દર્શનાવરણીય કર્મ નવ પ્રકારના કહેવામાં આવ્યા છે જેવા કે – (૧) નિદ્રા (૨) નિદ્રાનિદ્રા (૩) પ્રચલા (૪). પ્રચલાપ્રચલા (૫) સ્વાદ્ધિ (૬) ચક્ષુદર્શનાવરણ (૭) અચક્ષુદર્શનાવરણ (૮) અવધિદર્શનાવરણ અને (૯) કેવળદર્શનાવરણ.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧