________________
ગુજરાતી અનુવાદ અ. ૩. શેત્રકર્મ અને અંતરાયકર્મના ભેદનું કથન સૂ. ૧૨-૧૩ ૧૫ હાથે વસ્ત્ર પ્રદાન આદિ રૂપ માન, અભ્યસ્થાન, આસન, અંજલિપ્રગ્રહ વગેરે સત્કાર તથા હાથી ઘેડા, રથ તથા પદાતિ આદિ જાહેરજલાલી સર્જન કરનાર ઉચ્ચગેત્ર કર્મ કહેવાય છે.
નીચગોત્ર કર્મના ઉદયથી ચાંડાળ, ગારૂડી, શિકારી માછીમાર, જલ્લાદ, શુદ્ર, કચરવાસીદુ વાળનાર વગેરે હોય છે. જેના ઉદયથી અખિલ વિશ્વમાં આદરણેય ઈફવાકુવંશ, સૂર્ય વંશ, ચન્દ્રવંશ, કુરુવંશ, હરિવંશ તથા તથા ઉગ્રવંશ આદિ ઉત્તમ કોઈ વશમાં જન્મ થાય છે. તેને ઉચ્ચ ગોત્ર કહે છે આનાથી ઉલટું, જે કર્મના ઉદયથી નિન્દિત, ગરીબ ભ્રષ્ટાચારી, અસત્યભાષી ચોરી કરનાર, વ્યભિચારી હિંસક ચાંડાળ આદિ “કુળમાં જીવને જન્મ થાય છે, તે નીચ ગોત્ર કહેવાય છે કે ૧૨ છે
“સંતાપ વિદે, રાણ-સ્ટામ-ઓન-જમીન-વર્ધિતા મેચો'
સૂત્રાર્થઅન્તરાય પાંચ પ્રકારના છે–દાનાન્તરાય લાભાન્તરાય ભેગાન્તરાય ઉપભેગાન્તરાય અને વીર્યાન્તરાય કે ૧૩ છે
તત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં ગોત્રકર્મ રૂપ મૂળ પ્રકૃતિની બે ઉત્તર પ્રવૃતિઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે આઠમી મૂળ પ્રકૃતિ અન્તરાય કર્મની પાંચ ઉત્તર-પ્રકૃતિઓનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ-અન્તરાય કમની ઉત્તર-પ્રકૃતિઓ પાંચ કહેવામાં આવી છે– જેવી કે દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય ઉપગાન્તરાય અને વીર્યાન્તરાય.
આ કર્મ, દાન, લાભ, ભેગ, ઉપભેગ અને વીર્ય પરિણામમાં વિદ્ઘ નાખવાના કારણ રૂપ હોય છે. આ કારણે દાનાન્તર આદિના નામથી કહેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે જે કર્મના ઉદયથી જીવ દાન દેવાની અભિલાષા રાખવા છતાં પણ દાન આપી શક્તા નથી, લાભ મેળવવાની ઈચ્છા હોવા છતાં લાભ પ્રાપ્ત કરી શકતા નથી, ભેગવવાની ઈચ્છા હોવા છતાં ભેગ કરી શકતું નથી, ઉપભોગ કરવાની મનોકામના હોવા છતાં ઉપભોગ કરી શક્તા નથી અને ઉત્સાહ પ્રકટ કરવાની તીવ્ર અભિલાષા છતાં ઉત્સાહ દેખાડી શકતા નથી તે અન્તરાય કર્મ કહેવાય છે. દાનાન્તરાય આદિ તેની પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે. જે ૧૩ છે
તત્વાર્થનિયુકિત-પૂર્વ સૂત્રમાં સાતમી મૂળકર્મ પ્રકૃતિ શેત્રની ઉત્તરપ્રવૃતિઓ દર્શાવીને હવે આઠમી મૂળ પ્રકૃતિ અન્તરાય કર્મની પાંચ ઉત્તરપ્રકૃતિઓ બતાવીએ છીએ—
ઉત્તરપ્રકૃતિઓના રૂપમાં અન્તરાય કર્મ પાંચ પ્રકારના છે–દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભેગાન્તરાય અને વીર્યાન્તરાય, અત્તરાયકર્મની આ જ પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે.
દેય વસ્તુને ત્યાગ કરે દાન કહેવાય છે તેમાં થનાર અન્તરાય અર્થાત વિધ્ર દાનાન્તરાયા કહેવાય છે. કહેવાનું એ છે કે જે કર્મના ઉદયથી દેય દ્રવ્યની સગવડતા હોવા છતાં દાતા દાન કરી શક્તો નથી–જે દાનમાં અવરોધ-અડચણ ઉભી કરે છે તે દાનાન્તરાય કર્મ કહેવાય છે. આપવા લાયક દ્રવ્ય હાજર છે, લેનાર પણ સન્મુખ છે અને દાતા એ પણ જાણે છે કે જે આને ધન આપવામાં આવશે તે મહાન ફળની પ્રાપ્તિ થશે તે પણ દાનાન્તરાય કર્મના ઉદયથી દાતા દાન આપી શકતો નથી.
આવી જ રીતે પ્રાપ્ત વસ્તુની હાજરી હોવા છતાં પણ અને લાભની ઈચ્છા હોવા છતાં પણ જે કર્મના ઉદયે લાભ ન થઈ શકે તે લાભાન્તરાય કર્મ કહેવાય છે. ભેગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વીર્યન્તરાય કર્મ પણ આ પ્રમાણે સમજી લેવા જોઈએ. કેઈ ઉદારચરિત પુરુષ સમભા
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧