Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 919
________________ ગુજરાતી અનુવાદ અ. ૪. શુભનામકર્મ બાંધવા : કારણોનું કથન સૂ. ૭ ૨૧૭ છે. આ કથનને ભાવ એ છે કે અસંતસમ્યફ દષ્ટિ પણ પૈમાનિક દેવના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે, સંયતાસંયત પણ અને સંયત પણ વૈમાનિક દેવના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે. આ કથનથી સ્પષ્ટ છે કે સમ્યક્રશન પણ દેવાયુષ્યનું કારણ હોઈ શકે છે. જો 'कायभाव भासुन्जय अविसवादणजोगेहि सुहनामकम्म' । । સૂત્રાર્થ –કાય ભાવ-મન, ભાષા-વચનની સરળતાથી તથા અવિસંવાદન પ્રસારણ-ઠગાઈ ન કરવાથી શુભનામ કર્મ બંધાય છે. પાછા તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં દેવાયુ રૂપ પુણ્યકર્મના બંધાવાના કારણોની પ્રરૂપણું કરવામાં આવી છે. હવે શુભનામ કર્મ બંધાવાના કારણુ કહીએ છીએ– (૧) કાયની ઋજુતા (૨) ભાવ અર્થાત્ મનની ઋજુતા (૩) ભાષા અર્થાત્ વચનની ઋજુતા અને (૪) અવિસંવાદનકપટરહિત યથાર્થ પ્રવૃત્તિ. આ ચાર કારણથી શુભ નામકર્મ બંધાય છે. કાયની સરળતાને કાયઋજુતા કહે છે. તથા ભાવ અર્થાત્ મનની સરળતાને ભાવ ઋજુતા કહે છે. ભાષા અથવા વચનની સરળતાને ભાષા ઋજુતા કહે છે તથા દગો કરે અથવા ઠગાઈ કરવી વિસંવાદન છે, આને અભાવ અવિસંવાદન હોય છે આના ગ-સંબંધને અવિસંવાદનગ કહે છે. તાત્પર્ય એ છે કે આ ચારે કારણોથી શુભનામ- કર્મ બંધાય છે જે સાડત્રીસ (૩૭) શુભપ્રકૃતિઓથી ભેળવી શકાય છે. પણ તત્વાર્થનિર્યુકિત-આની અગાઉ બતાવાયું કે સરોગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા અને બાલતપસ્યા વગેરે દેવાયુ રૂપ પુણ્ય કર્મ બાંધવાના કારણ છે. હવે શુભનામ કર્મના ચાર કારણનું કથન કરીએ છીએ– (૧) કાયામાં વક્રતા ન હોવી કાયની ઋજુતા કહેવાય છે. (૨) ભાવ અર્થાતુ મનમાં કુટિલતા ન હોવી ભાવની ઋજુતા ભાષા અર્થાત વચનમાં કુટિલતા ન હોવી ભાષાની ઋજુતા તથા (૩) ઠગવું, ધૂતવું, દગો દેવે-અન્યની સાથે છળકપટ કરવું વિસંવાદન કહેવાય છે. આ પ્રમાણે ન કરવું તે અવિસંવાદન કહેવાય છે અર્થાત્ કાયા સંબંધી કુચેષ્ટાનું ન હોવું કાયની ઋજુતા છે, કાયાની કુચેષ્ટાને આશય એ છે કે–શરીરના કોઈ અંગને વિકૃત કરવું જેમકે કુબડા થઈ જવું, ઠીંગણ (વેંતીયા) બનવું, અંગોપાંગના ખરાબ ચેનચાળા કરવા-આંખ મારવી મોઢું બગાડવું, નાક ચઢાવવું, સ્ત્રી, મૃત્ય-નોકરચાકરની મશ્કરી કરવી વગેરે અસદૂભાવને પ્રદશિત કરીને બીજાની સાથે દળે ન કરો કાયની ઋજુતા કહેવાય છે. ભાવ અર્થાત મનમાં કપટ ન હોવું ભાવની ઋજુતા છે, વચનથી કેઈને છેડ ન દેવે ભાષાની બાજુતા છે. તાત્પર્ય એ છે કે મનમાં જે વિચાર આવ્યો હોય તેને વચન દ્વારા તે જ રૂપમાં પ્રકટ કરે અને તેને જ અનુરૂપ શારીરિક પ્રવૃત્તિ કરવી મન, વચન કાયાની સરળતા કહેવાય છે. (૩) તથા જે વસ્તુ જેવી છે તેને તે જ રૂપે કહેવી અન્યથા સ્વીકાર કરીને અન્યથા ન કરવું તે જ રૂપે તેનું આચરણ કરવું અવિસંવાદ યુગ કહેવાય છે (૪) આ ચાર પ્રકારની પ્રવૃત્તિથી શુભનામ કર્મ બંધાય છે, તે શુભ નામ કર્મના વિષયમાં ભગવતીસૂત્રના આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમાં કહ્યું છે– ૨૮ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧

Loading...

Page Navigation
1 ... 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032