SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૪. શુભનામકર્મ બાંધવા : કારણોનું કથન સૂ. ૭ ૨૧૭ છે. આ કથનને ભાવ એ છે કે અસંતસમ્યફ દષ્ટિ પણ પૈમાનિક દેવના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે, સંયતાસંયત પણ અને સંયત પણ વૈમાનિક દેવના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે. આ કથનથી સ્પષ્ટ છે કે સમ્યક્રશન પણ દેવાયુષ્યનું કારણ હોઈ શકે છે. જો 'कायभाव भासुन्जय अविसवादणजोगेहि सुहनामकम्म' । । સૂત્રાર્થ –કાય ભાવ-મન, ભાષા-વચનની સરળતાથી તથા અવિસંવાદન પ્રસારણ-ઠગાઈ ન કરવાથી શુભનામ કર્મ બંધાય છે. પાછા તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં દેવાયુ રૂપ પુણ્યકર્મના બંધાવાના કારણોની પ્રરૂપણું કરવામાં આવી છે. હવે શુભનામ કર્મ બંધાવાના કારણુ કહીએ છીએ– (૧) કાયની ઋજુતા (૨) ભાવ અર્થાત્ મનની ઋજુતા (૩) ભાષા અર્થાત્ વચનની ઋજુતા અને (૪) અવિસંવાદનકપટરહિત યથાર્થ પ્રવૃત્તિ. આ ચાર કારણથી શુભ નામકર્મ બંધાય છે. કાયની સરળતાને કાયઋજુતા કહે છે. તથા ભાવ અર્થાત્ મનની સરળતાને ભાવ ઋજુતા કહે છે. ભાષા અથવા વચનની સરળતાને ભાષા ઋજુતા કહે છે તથા દગો કરે અથવા ઠગાઈ કરવી વિસંવાદન છે, આને અભાવ અવિસંવાદન હોય છે આના ગ-સંબંધને અવિસંવાદનગ કહે છે. તાત્પર્ય એ છે કે આ ચારે કારણોથી શુભનામ- કર્મ બંધાય છે જે સાડત્રીસ (૩૭) શુભપ્રકૃતિઓથી ભેળવી શકાય છે. પણ તત્વાર્થનિર્યુકિત-આની અગાઉ બતાવાયું કે સરોગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા અને બાલતપસ્યા વગેરે દેવાયુ રૂપ પુણ્ય કર્મ બાંધવાના કારણ છે. હવે શુભનામ કર્મના ચાર કારણનું કથન કરીએ છીએ– (૧) કાયામાં વક્રતા ન હોવી કાયની ઋજુતા કહેવાય છે. (૨) ભાવ અર્થાતુ મનમાં કુટિલતા ન હોવી ભાવની ઋજુતા ભાષા અર્થાત વચનમાં કુટિલતા ન હોવી ભાષાની ઋજુતા તથા (૩) ઠગવું, ધૂતવું, દગો દેવે-અન્યની સાથે છળકપટ કરવું વિસંવાદન કહેવાય છે. આ પ્રમાણે ન કરવું તે અવિસંવાદન કહેવાય છે અર્થાત્ કાયા સંબંધી કુચેષ્ટાનું ન હોવું કાયની ઋજુતા છે, કાયાની કુચેષ્ટાને આશય એ છે કે–શરીરના કોઈ અંગને વિકૃત કરવું જેમકે કુબડા થઈ જવું, ઠીંગણ (વેંતીયા) બનવું, અંગોપાંગના ખરાબ ચેનચાળા કરવા-આંખ મારવી મોઢું બગાડવું, નાક ચઢાવવું, સ્ત્રી, મૃત્ય-નોકરચાકરની મશ્કરી કરવી વગેરે અસદૂભાવને પ્રદશિત કરીને બીજાની સાથે દળે ન કરો કાયની ઋજુતા કહેવાય છે. ભાવ અર્થાત મનમાં કપટ ન હોવું ભાવની ઋજુતા છે, વચનથી કેઈને છેડ ન દેવે ભાષાની બાજુતા છે. તાત્પર્ય એ છે કે મનમાં જે વિચાર આવ્યો હોય તેને વચન દ્વારા તે જ રૂપમાં પ્રકટ કરે અને તેને જ અનુરૂપ શારીરિક પ્રવૃત્તિ કરવી મન, વચન કાયાની સરળતા કહેવાય છે. (૩) તથા જે વસ્તુ જેવી છે તેને તે જ રૂપે કહેવી અન્યથા સ્વીકાર કરીને અન્યથા ન કરવું તે જ રૂપે તેનું આચરણ કરવું અવિસંવાદ યુગ કહેવાય છે (૪) આ ચાર પ્રકારની પ્રવૃત્તિથી શુભનામ કર્મ બંધાય છે, તે શુભ નામ કર્મના વિષયમાં ભગવતીસૂત્રના આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમાં કહ્યું છે– ૨૮ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy