Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વા સૂત્રના
કોઈ ધર્મની મુખ્ય રૂપથી વિક્ષા કરવાથી અને કોઇ ધર્મની અપ્રધાન રૂપથી વિવક્ષા કરવાથી અનેકાન્તની સિદ્ધિ થાય છે.
૧૪૮
પ્રત્યેક વસ્તુ અનેક ધર્મોના અખન્ડ પિન્ડ છે. તેમાંથી પાતાની વિવક્ષા અનુસાર જે કોઈ ધને વિવક્ષિત કરે છે તે ધર્મ અર્પિત કહેવાય છે અને બાકીના ધમ વિદ્યમાન હેાવા છતાં પ્રયેાજન ન હેાવાને કારણે કહેવામાં ન આવે ત્યારે તે અનર્પિત કહેવાય છે. આ રીતે અર્પિત અને અનપ`તથી અર્થાત્ ધર્મને મુખ્ય અને ગૌણ કરવાથી વસ્તુ અનેક ધર્માત્મક સિદ્ધ થાય છે. આ કારણથી જ તે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આથી પૂર્વાંત વિરાધનુ' ખંડન થઇ જાય છે.
તે આ રીતે છે—કોઈ પુરુષ ખાપ કહેવાય છે. તે પેાતાના પુત્રની અપેક્ષાથી ખાપ છે પરંતુ તે આપના પણ કાઈ ખાપ હાય છે તેની અપેક્ષાથી તે ખાપ પુત્ર પણ કહેવાય છે. આની સાથે જ પિતા અને પુત્ર કહેવરાવવાળા પુરુષ પોતાના ભાઇની અપેક્ષાથી ભાઈ પણ કહેવાય છે. એ જ રીતે પોતાના દાદાથી અપેક્ષાથી પૌત્ર મામાની અપેક્ષાથી ભાણીયા અને દાદીમાની અપેક્ષાથી દેહિત્ર કહેવાય છે આમ એક જ પુરુષમાં જનક અને જન્મ વગેરેને આ વ્યવહાર પરસ્પર વિરૂદ્ધ જેના ભાસે છે તે પણ હકીકતમાં તે વિરૂદ્ધ નથી.
આવી જ રીતે એક જ ઘડા અગર પાટલા વગેરે માટી વગેરે સામાન્યની વિવક્ષા કરવાથી નિત્ય કહેવાય છે, પણ ઘડો વગેરે પર્યાયેાની વિવક્ષા કરવાથી પર્યાયાર્થિ ક–નયની અપેક્ષાથી અનિત્ય પણ કહેવાય છે. આત્મા નિત્ય હાવા છતાં પણ પર્યાયનયથી અનિત્ય પ્રતીત થાય છે. આ કારણથી જ તેમાં ‘મૃત’ જેવા વ્યવહાર થાય છે.
તે સામાન્ય અને વિશેષ જે ક્રમશઃ દ્રવ્યાર્થિ ક અને પર્યાયાકિ નયના વિષય છે, કથ ચિત્ અભેદ અને ભેદ દ્વારા વ્યવહારના હેતુ હાય છે. કહ્યુ પણ છે–
પરિણમનના અં છે અર્થાન્તર થવા અર્થાત્ એક પર્યાયના નાશ થઈ બીજા પર્યાયનુ ઉત્પન્ન થવું. પરિણમનના સ્વરૂપના જ્ઞાતા વિદ્વાન વસ્તુનું હમેશાં જેમનુ તેમ ટકી રહેવુ અથવા સ થા વિનષ્ટ થઈ જવાને પિરણામ માનતા નથી.
આ રીતે અર્પિત અને અનયિતની સિદ્ધિ થવાથી એક જ પદાર્થીમાં નિત્યતા વગેરે ઘણા ધર્માં જે પરસ્પર વિરુદ્ધ જેવા પ્રતીત થાય છે. પરંતુ હકીકતમાં વિક્ષાભેદના કારણે વિરુદ્ધ નથી, પ્રતિભાસિત થાય છે ॥ ૨૭ ॥
તત્વાથ નિયુકિત પહેલા બતાવ્યુ` કે સમસ્ત વસ્તુઓ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવવાળી છે. આ સંબંધમાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે વસ્તુ ઉત્પાદ અને વિનાશ વાળી છે તે ધ્રૌવ્ય સ્વભાવવાળી અર્થાત્ નિત્ય કેવી રીતે હેાઈ શકે ? અગર વસ્તુ સત્ છે તે અસત્ થઇ શકતી નથી અને જો નિત્ય છે તે અનિત્ય થઈ શકતી નથી. આથી વસ્તુનુ પૂર્વોક્ત સ્વરૂપ સિદ્ધ કરી શકાતું નથી અને આ કારણે તે સ’ગત નથી—
ઉત્પાદ અને વ્યયને નિત્યતા સાથે વિરોધ છે અને નિત્યતાના ઉત્પાદ અને વ્યય સાથે વિરાધ છે. જેમ પાણી અને અગ્નિ અથવા છાંયડા અને તડકે પરસ્પરમાં અત્યન્ત વિરુદ્ધ છે તે જ રીતે ધ્રૌવ્યની સાથે ઉત્પાદ-વ્યયના વિરોધ છે. તેએ એક જગ્યામાં રહી શકતા નથી.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧