Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૨. સ્કંધના બંધત્વનું નિરૂપણ સૂ. ૨૮
તે એકાદિગુણ અધિક પુલમાં સદશ સ્નિગ્ધ પુદ્ગલોમાં તથા સદૃશ રૂક્ષ પુલમાં વિશિષ્ટ પરિણમનની શક્તિનો અભાવ હોય છે.
એક ગુણ સ્નિગ્ધ પરમાણુ આદિ પુગલની અપેક્ષા દ્વિગુણ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલ એક ગુણ અધિક કહેવાય છે, બે ગુણ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલની અપેક્ષા ત્રણ ગુણ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલ એકગુણાધિક કહેવાય છે, ત્રણ ગુણ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલની અપેક્ષા ચતુર્ગુણ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલ એક ગુણાધિક કહેવાય છે એવી જ રીતે અનન્તગુણ પુદ્ગલ એક બીજાની અપેક્ષા એક ગુણાધિક સમજી લેવા જોઈએ.
પૂર્વોકત દલીલ મુજબ આ સદૃશ પુદ્ગલોને પરસ્પર બંધ થતું નથી. આ રીતે જઘન્યને છોડીને આ વચન અનુસાર એક ગુણને છોડીને દ્વિગુણ પરમાણુ પુદ્ગલને ત્રિગુણ પરમાણુ મુદ્દગલની સાથે બધે થતો નથી. એ જ રીતે ત્રિગુણને ચતુર્ગણ સાથે બન્ધ થતું નથી ઈત્યાદિ પ્રકારથી શેષ વિકની યેજના સ્વયં કરી લેવી જોઈએ.
આમ એક ગુણ રૂક્ષ પરમાણુ પુદ્ગલ આદિની અપેક્ષા દ્વિગુણ રૂક્ષ પરમાણુપુદ્ગલ એક ગુણાધિક કહેવાય છે, બે ગુણ રૂક્ષતાવાળાની અપેક્ષા ત્રણ ગુણ રૂક્ષતાવાળા એક ગુણાધિક કહેવાય છે, ત્રણ ગુણ રૂક્ષની અપેક્ષા ચાર ગુણ રૂક્ષ એક ગુણાધિક કહેવાય છે એવી જ રીતે અનન્તગુણ રૂક્ષ એક ગુણાધિક હોય છે. આ બધાં દુશ પુદ્ગલેને પરસ્પર બન્ધ થતું નથી. એમને બા ન થવાના સંબંધમાં પૂર્વોક્ત દલીલ સરખી છે તે જ તર્ક અત્રે પણ લાગુ પડે છે.
અહીં પણ જઘન્યવજ આ કથન અનુસાર દ્વિગુણને ત્રિગુણ સાથે બન્ધ થતું નથી, ત્રિગુણને ચતુર્ગુણ સાથે બબ્ધ થતું નથી ઈત્યાદિ શેષ વિકપની યોજના સ્વયં કરી લેવી જોઈએ પરંતુ પૂર્વોકત પ્રકારથી દ્વિગુણ સ્નિગ્ધને ચતુર્ગુણ સ્નિગ્ધ સાથે બન્ધ થાય છે. ત્રિગુણ સ્નિગ્ધ પુદ્ગલને પંચગુણ સ્નિગ્ધ પુદ્ગલની સાથે બન્ધ થાય છે ઈત્યાદિ રૂપથી આગળ પણ સમજી લેવું જોઈએ. પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે –
સ્નિગ્ધ પુદ્ગલના બે અંશ અધિક સ્નિગ્ધ પુદ્ગલ સાથે અને રૂક્ષના બે અંશ અધિક રૂક્ષ પુદ્ગલ સાથે બધે થાય છે સ્નિગ્ધ પુગલને રૂક્ષ પુગલ સાથે બંધ થાય છે ભલે તેઓ સમગુણવાળા હોય અગર વિષમ ગુણવાળા આમાં અપવાદએ જ છે કે જઘન્ય ગુણવાળાનો બન્ધ થઈ શકતો નથી.
આ ગાથાના પૂર્વાર્ધમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે જ્યારે સ્નિગ્ધ અગર રૂક્ષ-અસદશ પદગલ હોય તે બે અંશ અધિક આદિની સાથે બન્ધ થાય છે. આમ સ્નિગ્ધને બે ગુણ અધિક સ્નિગ્ધ સાથે અને રૂક્ષને બે ગુણ અધિક રૂક્ષની સાથે થવાનું સિદ્ધ થાય છે અને આ જ ગાથાના ઉત્તરાર્ધથી એ ફલિત થાય છે કે જઘન્ય ગુણથી વર્જિત સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલેને તેઓ વિષમ ગુણવાળા હોય કે સમ ગુણવાળા. પરસ્પરમાં બન્ધ થઈ જાય છે.
પ્રશ્ન—જ્યારે પરમાણુ એક બીજામાં મળે છે તે શું ક્રિપ્રદેશી વિગેરે સ્કન્ધના આકારમાં પરિણત થાય છે, અથવા પરિમંડળ આદિ પાંચ પ્રકારના આકારમાં પરિણત થાય છે ? જે પરમાણુઓમાં સ્પર્શ આદિ પરિણામ વ્યવસ્થિત જ હોય અગર સ્કન્ધામાં સ્પર્શ આદિ
૨૦
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧