Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દ્વિતીય અધ્યાયના પ્રારંભ
'धमाधम्मागास कालपोग्गला अजीवा'
મૂળસૂત્રા—ધર્મ, અધ, આકાશ, કાળ અને પુદ્ગલ અજીવ છે ॥ ૧ ॥ તા દીપિકા—પ્રથમ અધ્યાયમાં જીવ આદિ નવ તત્ત્વોમાંથી જીવ તત્ત્વનું ૪૧ સૂત્રેા દ્વારા સાંગેાપાંગ વર્ણન કરવામાં આવ્યું. હવે ક્રમપ્રાપ્ત બીજા અજીવતત્ત્વનું આ અધ્યાયમાં નિરૂપણ કરવા અર્થે કહીએ છીએ-
ધ, અધ, આકાશ, કાળ અને પુદ્ગલ આ પાંચ અજીવ અર્થાત્ જીવથી અલગ તત્ત્વ છે. ॥ ૧ ॥
તત્વા નિયુકિત—પહેલા યથાયાગ્ય દ્રવ્ય અને ભાવપ્રાણેાથી યુકત જીવાના, તેના, દેવ, તિર્યંચ, મનુષ્ય અને નારકીના ભેદોનુ, સાકાર અને અનાકાર ઉપયોગરૂપ ચૈતન્ય શક્તિનુ વિવરણ કરવામાં આવ્યું છે. હવે ધર્મ વગેરે પાંચ અજીવાના ભેદ અને લક્ષણ બતાવીને તેમનુ પ્રતિપાદન કરીએ છીએ—
અજીવ અર્થાત્ જીવ દ્રવ્યથી વિપરીત, ધ, અધમ આકાશ, કાળ અને પુદ્ગલ એ પાંચ અજીવ તત્વ છેઃ
જે જીવ નથી તે અજીવ, અહી પ†દાસ નામના નગ્સમાસ છે આ સમાસથી અજીવ એકાન્ત નિષેધ રૂપ નહીં પરંતુ વિધિરૂપ જ તત્ત્વ સાબીત થાય છે, કારણકે પયું દાસમાં વિધિની પ્રધાનતા હેાય છે. તાત્પર્ય એ છે કે ધર્મ વગેરે પાંચ તત્ત્વ અસ્તિત્ત્વની દૃષ્ટિથી જીવની માફક જ છે પરંતુ તેમનામાં ચૈતન્યના સદ્ભાવ નથી આથી જ તેમને અજીવ કહ્યા છે. વળી કહ્યુ` પણ છે-જે નસમાસમાં વિધિની પ્રધાનતા તથા નિષેધની ગૌણત! હાય છે તે પર્યુંદાસ નગ્ સમાસ કહેવાય છે.’ એવી જ રીતે—જે નસમયમાં વિધિ અપ્રધાન અને નિષેધ પ્રધાન હાય તે પ્રસહ્ય (પ્રસજય) નગ્સમાસ કહેવાય છે—જેમાં ક્રિયાની સાથે નગ્સમાસ હોય છે.
આમાંથી જે જીવે અને પુદ્ગલેાની ગતિના ઉપકાર કરવાના કાર્ય દ્વારા જાણી શકાય તે ધદ્રવ્ય છે. જીવા અને પુદ્ગલાની સ્થિતિમાં ઉપગ્રહ કરવાથી જેનું અનુમાન કરવામાં આવે છે તે અધર્મી દ્રવ્ય છે. અહીં ધર્મ અને અધમ પદાથી શુભ ફળ આપનારા અને અશુભ ફળ આપનારા ધમ-અધર્મને સમજવા ન જોઈ એ.
અહીં... આ દ્રવ્યનું પ્રકરણ ચાલી રહ્યુ છે આથી દ્રવ્યરૂપ ધર્મ અને અધમ જ અત્રે અભિપ્રેત છે. અદૃષ્ટ-પુણ્ય-પાપ-રૂપ ધર્મ અધમ અભિપ્રેત નથી કારણકે તે દ્રવ્ય નહીં પણ ગુણ છે.
અવગાહના રૂપ કાર્યથી જેનું અનુમાન કરવામાં આવે છે, તે આકાશ છે. અહીં પ્રશ્ન થઈ શકે કે અલાકાકાશ અવગાહના રૂપ ઉપકાર કરતા નથી તે તેને આકાશ કેવી રીતે કહી શકાય ? આનેા જવાબ એ છે કે અલાકાકાશમાં જીવા તથા પુદ્ગલાની સ્થિતિના નિમિત્તભૂત ધર્મ-અધમ દ્રવ્ય નથી. આથી અલાકાકાશમાં અવગાહના ગુણ વિદ્યમાન હોવા છતાં પણ પ્રગટ
૧૧
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧