Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
ઈન્દ્રિયનું નિરૂપણ સૂ. ૧૭
૩૧
અગ્નિ અથવા કાંટા વગેરે જોઈએ છીએ ત્યારે દાહ, ભીનાશ અગર ભેદન વગેરે હેાતા નથી. શરીર દેશ સ્થિત નેત્રમાં યેાગ્ય દેશમાં સ્થિત રૂપ વગેરેને ગ્રહણ કરવાની યાગ્યતા સ્વભાવથી જ સિદ્ધ છે. નેત્ર ઢાંકેલા પદાર્થને જાણતું નથી આથી એને પણ પ્રાપ્યકારી માનવું જોઈ એ, એમ કહી શકાય નહી'. એવુ' કહેવામાં આવે કે જેમ દિવાલ વગેરે દ્વારા વ્યવહિત પદાને નેત્રગ્રહણ કરી શકતું નથી તેજ રીતે કામ વગેરે દ્વારા વ્યવહિત પદાર્થને પણ નેત્ર ગ્રહણ કરી શકતું નથી પરંતુ તેને તે! નેત્ર ગ્રહણ કરી લે છે. આ સિવાય આ દલીલથી તેા મન પણુ, જેને સમસ્તવાદી નિર્વિવાદ રૂપથી અપ્રાપ્યકારી માને છે, તે અપ્રાપ્યકારી રહેશે નહી' કારણ કે તે દિવાલ વગેરેથી ઢંકાયેલી વસ્તુને ગ્રહણ કરતું નથી.
શકા:-જેમ આંખ વગેરે ઇન્દ્રિયેા છે તે રીતે સુખ, દુઃખ અને ઇચ્છા વગેરે પણ જીવનુ લક્ષણ હાવાથી ઈન્દ્રિય હાવી જોઈ એ.
સમાધાન એવા નિયમ નથી કે જે જીવનું લિંગ હોય તે બધી ઇન્દ્રિય જ છે આથી સુખ વગેરે કદાચિત્ જીવના લિંગ હાઈ શકે છે. તા પણ તેમને ઈન્દ્રિય કહી શકાય નહીં”. પ્રજ્ઞાપના સૂત્રના પંદરમાં ઈન્દ્રિયપદમાં કહ્યું છે—
પ્રશ્ન—ભગવન્ ! ઇન્દ્રિયા કેટલી કહી છે ?
ઉત્તર—ગૌતમ ! પાંચ ઇન્દ્રિયા કહી છે. જેમકે શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય તથા સ્પર્શીનેન્દ્રિય ૫૧૭ણા
'पुणा दुवि भाविदियं दधिदियंया'
મૂલા—ઈન્દ્રિયના બીજા બે પ્રકાર છે જેમકે-ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય ॥૧૮॥ તત્વા દીપિકા—પૂર્વ સૂત્રમાં ઈન્દ્રિયા પાંચ પ્રકારની કહી છે તેજ ઈન્દ્રિયાના પ્રકારાન્તરથી પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ-ઇન્દ્રિયા એ પ્રકારની છે. ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય આ રીતે સ્પન્ વગેરે પાંચે ઈન્દ્રિયેા દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેદથી બે-બે પ્રકારની છે, સાધારણ રીતે જે ઈન્દ્રિયા પુદ્ગલની પરિણતિ છે તે દ્રવ્યેન્દ્રિય અને જે આત્માની પિરતિરૂપ છે તે ભાવેન્દ્રિય કહેવાય છે ૫૧૮!
તત્વા નિયુકિતપૂર્વ સૂત્રમાં ઈન્દ્રિયાની સંખ્યાનું પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે બીજી રીતે ફરીવાર તેમની સંખ્યાનું નિરૂપણ કરવા માટે કહ્યું છે−ઈન્દ્રિયા પુનઃ એ પ્રકારની છેભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય. સામાન્ય રૂપથી પૌલિક ઈન્દ્રિયા જે નામ કર્માં દ્વારા નિર્મિત છે તે દ્રવ્યેન્દ્રિયા છે અને જે ઈન્દ્રિયાવરણુ કર્મ તથા વીર્માંન્તરાય કર્મોના ક્ષયાપશમ નાથી આત્માની પરિણતિ રૂપ ઉત્પન્ન થાય છે તે ભાવેન્દ્રિય છે. પ્રજ્ઞાપના સૂત્રના ૧૫માં ઈન્દ્રિયપદમા કહ્યું છે
પ્રશ્ન—ભગવાન ! ઈંદ્રિયા કેટલા પ્રકારની છે ?
જવાબ——ગૌતમ ! એ પ્રકારની છે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય.
તાત્પર્ય એ છે કે દ્રવ્યેન્દ્રિય અનન્ત પ્રદેશાત્મક પુદ્ગલાના સ્કંધ. તે નિવૃત્તિ તથા ઉપકરણના ભેદથી એ પ્રકારની છે. અસંખ્યાત આત્મપ્રદેશ તેમનામાં રહે છે. ભાવેન્દ્રિય આત્માનુ પરિણમન વિશેષ છે, તેમનુ સ્વરૂપ હવે પછીના સૂત્રમાં જ દર્શાવવામાં આવશે ૫૧૮૫ 'पुणो दुविहं भावेदियं दव्वेदियं च ' મૂલાથ—ભાવેન્દ્રિય બે પ્રકારની છે—લબ્ધિ અને ઉપયોગ ॥૧૯॥
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧