Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૫૦ તીર્થકર નામકર્મ બાંધે છે. આથી દેવ જન્મ અને મનુષ્યજન્મ પામે છે, સાંભળ્યું.
શુભ ભાવનાથી તીર્થાધિરાજ શત્રુજ્યને સ્પર્શ, ગિરનારને નમસ્કાર, અને ગજપદ કુંડમાં સ્નાન કરવાથી આ સંસારમાં ફરીથી જન્મ લેવું પડતું નથી.
શુભ ભાવથી શ્રીમતી યાત્રા કરી ઘેર પાછી આવી, ત્યારે કૃપણ અને ક્રોધથી લાલ લાલ આંખ કરી કહ્યું, “ઓ અધમ ! તે ઘણો ખર્ચ કર્યો છે, તેનું ફળ હું તને હમણાં જ ચખાડું છું.” કહી ધન-શ્રીમતીને લાકડીથી ઘણો માર માર્યો, પરિણામે પ્રાણપંખેરુ દેહ છોડી ઊડી ગયું. તીર્થયાત્રાના શુભ દયાનમાં મરવાથી ચંપાપુરીમાં મધુરાજાને ત્યાં પુત્રીરૂપે પદ્માવતી નામથી શ્રીમતી જન્મી.
એ પુત્રી 5 વયની થતાં મધુરાજાએ જિતશત્રુ નામના રાજા સાથે ઘણું ધામધૂમથી તેને પરણાવી. મધુરાજાએ જમાઈને મદેન્મત્ત હાથી, સુંદર ઘોડા, મણિમુક્તા ફળ, વિગેરે આપ્યાં.
જિતશત્રુ પદ્માવતી સાથે પિતાના નગરમાં આવે, ત્યાં તેણે સાત માળને મહેલ તેને રહેવા આવે.
દિવસે જતાં જિતશત્રુ, લક્ષ્મીપુર નગરના ધન નામના રાજાની પુત્રી કલાવતી સાથે પરણ્ય, અને તે તેની પાછળ ભાન ભૂલ્ય.
એક દિવસે લક્ષ્મીપુરના રાજાએ રત્નજડિત સુંદર