Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૧૦૪ -
કહ્યું, “મહારાજ ! અમે આખી રાત જાગી કાળજીપૂર્વક તરફ ફરી મહેલની રક્ષા કરતા હતા”
મહારાજ વિક્રમ વિચાર કરતા સભાગૃહમાં ગયા. ત્યાં ભમાત્ર તેમજ મંત્રીઓને બોલાવી રાતની વાત કહેતાં કહ્યું,
આમ આવા સુરક્ષિત સ્થળે વસ્ત્રાભૂષણની પેટી ચોરનાર ચર કેટલે હિંમતવાન–બહાદુર હશે ?” બોલતા વિક્રમાદિત્યે સેનાના થાળમાં પાનનું બીડું રાખી સભામાં ફેરવ્યું. અને કહ્યું, “આ બીડું લઈ જે ચેરને પકડી લાવશે તેને ધન આપી રાજા સત્કાર કરશે.”
રાજાનાં વચન સાંભળી બધા વિચારવા લાગ્યા, “ચોર ઘણે બળવાન છે, તે રાજાના રક્ષિત મહેલમાં .” એમ વિચારતા ભયથી ગભરાતા કેઈએ પાનનું બીડું ઊઠાવ્યું નહિ.
ત્યારે અતિસાર નામના વિક્રમાદિત્યના મંત્રીએ વીર યેળાઓને કહ્યું, “જે કેઈરાજાનું કાર્ય પૂર્ણ કરશે તે જ રાજાને સાચો સેવક છે. જે કઈ યુદ્ધના સમયે આગળ રહે, નગરમાં રાજાની પાછળ રહે અને મહેલમાં તેમના રક્ષણ માટે જાગૃત રહે તે રાજાને પ્રીતિભાજન થાય છે. રાજા રાજી થવાથી તેને પુષ્કળ ધન આપી સત્કાર કરે છે. સંસ્કારની આશાએ સેવક પિતાને પ્રાણ આપીને પણ ઉપકાર કરે છે.”
મંત્રીના શબ્દો સાંભળી સિંહ નામને કેટવાળ રાજાની સામે આવ્યું. અને પાનનું બીડું ઊઠાવી બે, “હું ત્રણ દિવસમાં એ ચેરને આપની સમક્ષ જરૂર લાવીશ. જે તેમ ન કરી શકું તે ચેરને જે શિક્ષા કરવાની હોય, તે