Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૮૬
હતે. એ સિંહના જીવે વાઘના રૂપે પ્રગટ થઈ અત્યારે તેને મા. એમાં કઈને દેવું નથી. જે શુભાશુભ કર્મો ક્ય હોય તેનાં ફળ ભેગવ્યા વિના ન ચાલે.
કર્મ ગતિ વિચિત્ર છે. તેમાં કઈ ક કરી શક્ત નથી. કર્મ અને કાળનો નિયમ અટલ છે. તેની આગળ માનવની ચાલાકી કાંઈ જ ચાલી શકતી નથી,
બ્રહ્માજી કર્માધિન થઈ સંસારરૂપી પાત્ર બનાવવા કુંભારની જેમ કાર્ય કરે છે. શિવ ખોપરી જેવી અપવિત્ર વસ્તુ હાથમાં લઈ ભિક્ષા માગવા ફરે છે. વિષ્ણુ દસ અવતાર લેવાનું સંકટ સહન કરે છે. સૂર્યને જ આકાશમાં ભ્રમણ કરવું પડે છે. એવા કર્મને નમસ્કાર જ કરવા રહ્યા?”
“હે દેવી” વિધાતાના શબ્દો સાંભળી મહારાજા બેલ્યા. ગયા જન્મમાં આ શેઠના પુત્રે સિંહને માર્યો હતે. તે પાપ કર્મનું ફળ તેના મરી જવાથી મળી ચૂકયું. હવે તેને તમે પુનર્જીવન આપે નહિ તે હું મારું બળિદાન આપીશ.”
મહારાજાને સંકલ્પ જાણી કર્મઅધિષ્ઠાત્રીદેવીએ બાળકને નવજીવન આપ્યું ને અદશ્ય થઈ ગઈ
ધનદ શેડના પુત્રને જીવતે થયેલે જેતા બધા આનંદમાં આવી ગયા. શેકનું ક્યાંય નામ નિશાન ન રહ્યુંઃ સાચે જ કહ્યું છે કે, રણમાં,વનમાં, શત્રુઓની વચ્ચે, અગ્નિમાં, પર્વતના