Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પપ૦
.HTM
.
-
44 .
ચરે દયાભાવથી બકરાને બચાવ્યો, પરમ કૃપાળુ ગુરુદેવ પાસેથી પિતાને પૂર્વભવ સાંભળી મહારાજા વિકમ જીવદયા વગેરે કાર્યો વધુ ને વધુ કરવા લાગ્યા.
શ્રીસિદ્ધસેન દિવાકરસૂરીશ્વરે મહારાજા વિક્રમને પૂર્વ ભવ કહ્યા પછી કહ્યું, “ હે રાજન, પ્રાણીઓ જે પાપ કરે છે તે માટે પસ્તાવે-પ્રાયશ્ચિત્ત કર્યા વિના છૂટકે થતો નથી. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે. “ કરેલા પાપની આલેચના ગુરુ આગળ કરવી જોઈએ. આચના કરવાને નિશ્ચય કરી કેઈ ગુરુ પાસે જતો હોય ને તે રસ્તામાં જ મૃત્યુ પામે તો પણ તે જીવ આરાધક જ કહેવાય.”
શરીરથી જીવહિંસાદિ પાપ થયાં હોય તો તપસ્યા,