Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પ્રકરણ એકાવનમું ... ... ... ... ... સમપ્રયા પૂતિ
જો જામે, નિશદિન વસે, સે તામે પરવીણ; સરિતા ગજકે લે ચલે, ઉલટ ચલતા હૈ. મીન.
આ ભારતવર્ષમાં આવેલા લક્ષ્મણપુર નામના નગરમાં અમરસિંહ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજાની રાણીનું નામ પ્રેમવતી હતું, તેમને ત્યાં જે પુત્ર જન્મે તેનું નામ શ્રીધર રાખવામાં આવ્યું, પછી પુત્રી જન્મી તેનું નામ પદ્માવતી રાખવામાં આવ્યું.
આ પદ્માવતી લાડકેડમાં ઉછરતી મેટી થવા લાગી.. જ્યારે તે ભણવા જવાની ઉમ્મરની થઈ ત્યારે તેને ઘણું જ બુદ્ધિશાળી, દેવતાઈ, એક વખત સાંભળેલું નેન ભુલનાર પોપટ સાથે પંડિતને ત્યાં ભણવા મૂકી.
દિવસે જતાં પદ્માવતી વિદ્વાન થઈ, તે પિતાની બુદ્ધિથી શાસ્ત્રોના અર્થ કરી શકતી. તે જ્યારે તર્ક, ન્યાયશાસ્ત્ર વગેરે વિષયમાં પારંગત થઈ, ત્યારે કન્યા અને પિપટને લઈ પંડિત રાજા પાસે ગયે. રાજા તેમને જોતાં