Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૬૬૩
"
કહ્યું, ‘હું તે કહી શકું નહિં.' ત્યારે મહારાજાએ કહ્યું, એ જે જાણતું હાય ને ન કહે તો તેને સાત ગામ ખાળ્યાનું પાપ.’
આ સાંભળી સુરસુંદરી ખાલી, · જેના ધડ પર તેના પતિનું મસ્તક હૅતુ તે તેનો પતિ. કારણ કે શરીરમાં મસ્તક મહત્વનું છે.’ આમ મહારાજાએ બુધ્ધિપૂર્વક સુરસુંદરીનેત્રીજી વખત ખેલાવી. ને અગ્નિબૈતાલને શય્યામાં પ્રવેશવા કહ્યું, એટલે અગ્નિશૈતાલ શય્યામાં પ્રવેશ્યા ત્યારે મહારાજા વિક્રમ ખેલ્યા, હૈ શય્યા, તું હુંકારા દેજે.'
♦ સારું.' શય્યાએ કહ્યું ને
"
સુરસુ ંદરી સાંભળે તેમ મહારાજાએ વાત કહેવા માંડી. એન્નાટ નગરમાં વિશ્વરૂપ નામનો રાજા હતા. તેના એક સેવકનુ નામ સૂર હતું, ને સેવકની પત્નીનું નામ કમલા હતું. વીરનારાયણ નામનો પુત્ર હતા. ને પુત્રવધૂનું નામ પદ્માવતી હતું.
આ વીરનારાયણને તેની સેવાથી ખુશ થઈ રાજાએ એક લાખની આવકવાળું નગર બક્ષિસ આપ્યું હતુ. અને પેાતાનો અંગરક્ષક બનાવ્યા હતા. તે રાતના તલવાર લઈ મહારાજાના રક્ષણ માટે જાગતો રહેતો.
એક દહાડા રાતના મહારાજાએ સૌના રડવાનો કરુણ અવાજ સાંભળ્યા. એટલે વૌરનારાયણને રડવાનું કારણ જાણવા