Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પપર
ગુરુદેવે બતાવ્યા પ્રમાણે સારી રીતે પ્રાયશ્ચિત કર્યું. તેમણે અનેક ધર્મનાં કામ કર્યા. પાપને નાશ કર્યો.
મહારાજા વિક્રમે કૈલાસ પર્વત જેવા સે જિનાલય બંધાવ્યા અને તેમણે બધા જ જિનેશ્વરનાં એક લાખ જિનબિંબ બનાવ્યાં-ભરાવ્યાં.
શ્રીવર્ધમાન સ્વામીના બધાં આગમે અને સિદ્ધાંતોને સેના-ચાંદીના અક્ષરોમાં લખાવ્યા. એક લાખ સાધર્મિક ભાઈઓને ભેજન કરાવ્યું. તે ઉપરથી સુંદર અન્નપાન, વસ્ત્ર વગેરે આપી સંતોષ્યા. તે સવાર, મધ્યાહ્ન, સંધ્યાએ જિનેશ્વર દેવની પૂજા-અર્ચા કરતા હતા.
પિતાનાં પાપને નાશ કરવા મહારાજાએ ત્રણ વર્ષ માટે પૂજાદિને નિયમ લીધે. શાસ્ત્રોમાં કહ્યું છે, “ફૂલ, ચોખા, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ અને જળથી આઠ પ્રકારે જે પૂજા કરવામાં આવે છે તેનાથી આઠ કર્મોને નાશ થાય છે.”
મહારાજા વિકેમ હમેશાં ગરમ કરેલું પાણી પીતા હતા. સદા પરેપકાર કરતા હતા. હમેશાં નવકારસી આદિ પચ્ચક્ખાણ કરતા હતા. આઠમ વગેરે પર્વતિથિએ એકાસણું આદિનું તપ કરતા હતા ને જ્યારે જયારે ગુરુદેવ મળતા ત્યારે ત્યારે નિશ્ચિત ગુરુવંદન કરતા હતા.
શ્રીસિદ્ધસેન દિવાકરસૂરીશ્વરે કહ્યા પ્રમાણે મહારાજા વિક્રમાદિત્યે બધાં પ્રાયશ્ચિત્ત કર્યા. શ્રી જિનેશ્વરદેવે કહેલા ધર્મનું પાલન કરતા તે સ્વર્ગ અને મોક્ષના સુખને મેળવવા લાગ્યા, જે ત્રણે લેકને આધારરૂપ છે. સમુદ્ર, મેઘ, સૂર્ય અને ચંદ્ર પિતાપિતાનું કર્તવ્ય કરે છે, જેની