Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
५२९
લાગે, “આજ તે તમે ખૂબ ખુશ જણાવે છે ?” જવાબમાં તે બ્રાહ્મણ બે, “તમારી કૃપા છે.”
તમે આજે જફર રાજસભામાં આવજે.” ચંદ્રસેને કહ્યું, “હું તમને મારા જેવી ભેટ અપાવીશ.”
જમ્યા પછી બ્રાહ્મણ રાજસભામાં ગયે. ને રાજાને સુંદર શબ્દમાં આશીર્વાદ આપે, તે વખતે તક જોઈ ચંદ્રસેન બલ્ય, “મહારાજા, આ બ્રાહ્મણ ઘણે વિદ્વાન છે. કુંડળીમાં જોઈ ભૂત, ભવિષ્ય અને વર્તમાનની બધી વાતે કહે છે.”
“ કહે જોઇએ ભુદેવ!” રાજાએ પૂછ્યું, “કાલે મારા રાજ્યમાં શું બનાવ બનશે?”
રાજાને પ્રશ્ન સાંભળી પ્રશ્નલગ્ન મૂકી તે પર વિચાર કરી કહ્યું, “કાલે તમારે મુખ્ય હાથી મરણ પામશે.”
તે માટે કાંઈ શાંતિ પ્રયોગ કરવો જરૂરી છે?”
રાજન ” બ્રાહ્મણ બોલ્યા, “લેખ પર મેખ મારી શકાતી નથી. જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે, તેને મિથ્યા કઈ જ કરી શકતું નથી.”
બ્રાહ્મણના શબ્દોની પરીક્ષા કરવા રાજાએ તેને પોતાની પાસે મહેલમાં રાખે અને ગજરાજની સંભાળ રાખવા સૈનિકે ગોઠવી દીધા. રાજાએ લઈ શકાય તેટલા ચાંપતા પગલાં લીધાં, છતાંય થનારને અટકાવી શકાયું નહિ. રાજાને