Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પ૨૯
રાજકુમારને અભિનંદન આપવા ગરીબથી શ્રીમ સુધીના બધા જ આવ્યા હતા, પણ રાજને વડાપ્રધાન સુમતિ આ ન હતો. તેથી રાજાને ખોટું લાગ્યું, તે આ ત્યારે રાજાએ બે કડવા શબ્દો કહ્યા, ત્યારે મંત્રીશ્વરે ઘણી શાંતિથી–વિનયથી કહ્યું, “હે રાજન ! રાજકુમાર રાજ્યના મુખ્ય હાથીને માર્યો તે ઠીક કર્યું ત્થી. હાથી એ રાજને રક્ષક-મુખ્ય અંગ છે. યુદ્ધના સમયે શત્રુના રાજના કોટને દરવાજે હાથીથી જ તેડવામાં આવે છે, એ હાથીને રાજમાં મંગળરૂપ ગણવામાં આવે છે.
રાજન, વધારે તો શું કહું, મને દુઃખ થાય છે એ હાથીના મારવાથી સૈનિકનું બળ ઘટશે. તેથી રાજકુમારે જે કર્યું તે સારું તો નથી જ કર્યું, હાથીને કેઈપણ રીતે વશ કરે જેતે હતો, અને તમે પણ હાથીના મરતાં ઉત્સવ ઉજ. રાજકુમારને પ્રેત્સાહન આપ્યું. આ બધું ઠીક ન કર્યું.
તમે જ્યારે રાજના માણસો ભેગા કરી આનંદ મનાવે છે, ત્યારે તમારા દુમને તમારા તે આનંદમાં તમારી હાર જોઈ રહ્યા છે. હાથીને મારવાને જે પ્રસંગ બની ગયે તે સારે તો નથી જ બન્યો અને તેથી હું આનંદમાં ભાગ લેવા આવ્યું ન હતું. માતા, પિતા, મિત્ર, ભાઈ, પુત્ર, પુત્રી, વગેરે સ્નેહીઓ અને હાથી, ઘેડા વગેરેના મૃત્યુથી-પ્રિય વસ્તુના. વિયેગથી દરેકને દુઃખ થાય જ.”
૩૪