Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૯૪
ભગ ચાર્યાંસી હજાર વર્ષ પહેલાં અયેાધ્યામાં સત્યવાદી, ધર્માત્મા સર્વાંગુણસંપન્ન યુધિષ્ઠિર નામના રાજા ન્યાયનીતિ, ધર્મથી રાજ કરતા હતા. પ્રજાને તે પેાતાનાં સંતાનની જેમ પાળતા હતા. એક દિવસે રાજાના ગુણાથી પ્રસન્ન થઇ વરુણદેવે યુધિષ્ઠિરને અસખ્ય રત્ના આપ્યા. જેનું મૂલ્ય થઇ શકે નહિં. એ રત્ન આપી વરુણદેવ ચાલ્યા ગયા.
ધર્માત્મા યુધિષ્ઠિરે તે રત્નના ઉપયેગ પ્રજાના હિતાર્થે, દીન-દુઃખીઓનાં દુઃખ દૂર કરવામાં કર્યાં. તે પરોપકારી કાર્યોમાં વપરાયેલા રત્નેામાંનું આ એક રત્ન છે, જે તમારા હાથમાં આવ્યું છે. એ અલૌકિક-અપૂર્વ રત્નનું મૂલ્ય કોઈ જ કરી શકે તેમ નથી.”
ખળીરાજાના શબ્દો સાંભળ્યા પછી મહારાજા વિક્રમ નમ્રતાપૂર્વક ખેલ્યા, “આપ કહેા છે, તે હું માની લઉં છું. આ રત્ન અપૂર્વ–અલૌકિક છે, તેનું મૂલ્ય માણસથી થઈ શકે તેમ નથી. પરંતુ વમાન કાળને વિચારી આપ આ રત્નનું મૂલ્ય કહેા, જેથી મને સંતાષ થાય.”
સામાન્ય
પ્રબળ
રત્નનું મૂલ્ય જાણવા મહારાજા વિક્રમની જિજ્ઞાસા જોઇ મળીરાજા કહેવા લાગ્યા, ઃઃ રાજનૢ, આ અપૂર્વ રત્નનું મૂલ્ય વર્તમાન સ્થિતિના વિચાર કરતાં ત્રીસ કરાડ સેનામહારા થાય.”
બળીરાજાએ કહેલું રત્નનું મૂલ્ય સાંભળી મહારાજા