Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૫૧૭
દિવસે જતાં ગગનŁલીએ પેાતાને ગામ જવાની વાત મહારાજાને કરી. તે સાંભળી મહારાજાએ કહ્યું, “હું પણ તમારી સાથે આવીશ. તમારી સ્ત્રીની પરીક્ષા કરીશ.”
“ જરૂર, જરૂર. આપ આવશે તે મારી શક્તિ પ્રમાણે હું આપનો આદરસત્કાર કરીશ.” ગગનચૂલીએ કહ્યું.
ગગનચૂલીએ ચ’પાપુરી જવા તૈયારીઓ કરવા માંડી. લેવુ - દેવુ' પતાવ્યું, પછી મહારાજા અને તેમના પરિવાર સાથે ગગનધુલો ચંપાપુરી આવ્યો. મહારાજાને એક સુંદર મહાલયમાં ઉતારો આપ્યા ને પાતે પેાતાને ત્યાં જઈ પેાતાની સ્ત્રીને પૂછવા લાગ્યું. “ કયારેક મૂળદેવ અને શશીભૂત તારું શિયળ નષ્ટ કરવા અહીં આવ્યા હતા ? ”
જવાબમાં સુરૂપાએ બનેલું બધું જ કહ્યું, તે સાંભળી ગગનચૂલોએ કહ્યું. “ સ્વયં મહારાજા પેાતાના એ નેકરાના સમાચાર જાણવા અહીં આવ્યા છે, જો તું કહે તેા તેમને જમવા આમંત્રણ આપું.”
“ જરૂર, ઘરમાં બધી જ વસ્તુએ છે. અતિથિ સત્કાર કરવા એ આપણા ધ છે.”
પત્નીના શબ્દો સાંભળી ગગનધૂલીએ મહારાજાને કહ્યું. આપના તે સેવકે અહીંયા આવ્યા તેા હતા. પણ મારી પત્નીએ તેમના તિરસ્કાર કરી કાઢી મૂકયા.” કહી મહારાજાને જમવાનું આમંત્રણ આપ્યું. મહારાજાએ તેના સ્વાકાર કર્યાં.
-66