Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૧૧
અને બોલવા લાગ્યા, “શું કરું? કયાં જાઉં? કેને કહું?' ઘણા યને રત્નપેટી લાવ્યું હતું, તે રાજકુમારી સાથે જતી રહી.” બેલતા મહારાજા વિક્રમ પળ માટે શાંત રહ્યા પછી બેલ્યા, “વિચાર કરી મનમાં બળ્યા કરવું તે કાયરનું કામ છે. બસ, મારે તે આગળ વધવું રહ્યું. “સાહસથી સિદ્ધિ છે. જે થવાનું હશે તે થશે.” બોલતાં તે રાજકન્યાને શોધવા ચાલ્યા શોધતા શોધતા જ્યાં. નગરમાં માનવમેદની ભેગી થઈ હતી ત્યાં આવ્યા, રાજકુમારી અને વિક્રમની દષ્ટિ એક થતાં જ રાજકુમારી આનંદમાં આવી ગઈ ને બોલી, “જુઓ, જુઓ, પિલો આવી રહ્યા છે, તે જ મારા સ્વામી.”
તે નગરના રાજા સિંહે મહારાજા વિક્રમને જોયા છે. સાથે જ દેડતે જઈ તેમના ચરણે પડે, મહારાજાએ ઊઠાડી કહ્યું, “તમારા રાજમાં આવું જ ચાલે છે? તમને. રત્ન અને કાચની પરીક્ષા નથી?” વિક્રમના શબ્દો સાંભળી સિંહ રાજાએ ધીમા અવાજે કહ્યું, “આ સ્ત્રીએ બળી મરવા પ્રાર્થના કરી. પણ મારી મૂર્ખતા આડે આવા, સત્ય જોઈને સમજી શક્યો નહિ, અપરાધી છે, ક્ષમા ચાહું છું.” બેલતે તે હાથ જોડી રહ્યો, ત્યારે વિકમે કહ્યું, “આ બધું સમજફેરથી થયું હોય તેમ લાગે છે. તેથી તું અપરાધી. નથી. અફસેસ કરવાની જરૂર નથી. હું આ રાજકુમારીને. રત્નની પેટી સાથે તામ્રલિસિથી અહીં લાવ્યો છું.” કહેતા.. વિકમે અતિ બધું કહ્યું. તે સાંભળી રાજા સિંહે ધામ--