Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
વ્યકિત છે.” બોલતા રાજાએ મન સાથે કાંઈ નિર્ણય કરી. કહ્યું, “આપ મારી પુત્રી સાથે લગ્ન કરે.” કહી ઘણે ઘણે આગ્રહ કરવા લાગે. મહારાજા એ આગ્રહને પાછો ઠેલી શક્યા નહિ. ને ઘણી ધામધૂમથી મહારાજા વિક્રમ અને ચંદ્રાવતીનાં લગ્ન થયા. તેવામાં મશર્મા અને વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા. રાજકુમારી સાથે મહારાજાને જોતાં તેમના માથા નમી પડયાં.
મહારાજા વિક્રમે અગ્નિવાલને ઉમાદેવીના સમાચાર જાણવા મેકલ્યું. થોડીવારમાં સમાચાર જાણી અગ્નિશૈતાલ પાછે આ, બેલ્યા, “જોગણીઓ અને ક્ષેત્રપાલે ઉમાદેવીનું ભક્ષણ કર્યું છે.” આ સાંભળી મહારાજાએ દંડ લઈ રાજા વિજ્યની રજા લઈ સે પારક નગર તરફ રાજકન્યા, મશર્મા અને વિદ્યાર્થીઓ સાથે પ્રયાણ કર્યું. ત્યાં આવી સેમશર્મા અને વિદ્યાર્થીઓને દ્રવ્ય આપી સંતળ્યા પછી ભગવાન આદિનાથના મંદિરે જઈ અપૂર્વ ભક્તિભાવથી સ્તુતિ કરી અવંતી ગયા. ને નાગદમનીને એ સર્વરસ દંડ અને વજ દંડ એ બને દંડ આપ્યા. દંડ લઈ નાગદમનીએ કહ્યું, “હવે છત્ર માટે આગળ વિધિ થશે.”
જે પરાયે કામ આયે, ધન્ય હૈ જગમેં વહી; દ્રવ્ય કે જેડ કર—કેઈ સુયશ પાતા નહીં.