Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
નાની વહુ હંમેશાં જમ્યા પછી છજામાં બેસતી. એક દહાડે તે છજામાં બેઠી હતી, ત્યારે તેણે પિતાના સસરાને રડતે છે. તેણે વૃદ્ધાને બોલાવી કહ્યું, “પિલે રડે છે તેને બોલાવી લાવ”
વૃધ્ધા દેડતી તેની પાસે આવી બેલી, “પેલા છજામાં બેઠેલા કુમાર તમને બોલાવે છે.” બેલતી વૃધ્ધાં લાકડાને ભારે ઉપાડેલા વૃદ્ધ સાથે નાની વહુ હતી ત્યાં આવી. પિતાને સસરાને જોતાં તેણે પૂછ્યું. “તમે શા માટે રડે છે? જે તમે મારે ત્યાં કામ કરશે તે હું તમારું દુઃખ દૂર કરીશ.”
પેટનો ખાડો પૂરવા તમે જે કહેશે તે હું કરીશ.” અતિસારે કહ્યું.
ઠીક, ઠીક” કહી નાની વહુએ પિતાને સસરાને પિતાને ત્યાં રાખે. તેની પાસે તેનાથી થાય એટલું કામ કરાવતી. એ જ પ્રમાણે પિતાના અને જેઠે અને પતિને પિતાને ત્યાં કામે રાખ્યા. તેમના ખાવાપીવા વગેરેની સારી કાળજી લેવાતી.
એક દિવસે નાની વહુએ પિતાને મૂળ વેશ-સ્ત્રીવેશ ધારણ કર્યો. નાની વહુને જોતાં જ અતિસાર આશ્ચર્યમાં ડૂબી ગયે. ત્યારે નાની વહુએ પૂછ્યું, “તમને મેં સવા લાખની કીમતનું રત્ન આપ્યું હતું, છતાં તમારી આવી દુર્દશા શાથી થઈ પિતાજી?” જવાબમાં ગતિસારે કહ્યું, “આ રત્ન બજારમાં હું વેચવા ગયે, ઝવેરીને તે બતાવ્યું, પણ