Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૬૩
કરતાં બુદ્ધિથી કામ લેવું રહ્યું.” આમ વિચારતા મહારાજા કામલતા વેશ્યાને ત્યાં ગયા ને પિતાની વાત કહી. મહારાજાની
S
GS
=
II
)
રાજાના મળ.ને ફી પી વાત સાંભળી કામલતા આશ્વાસન આપતી કહેવા લાગી,
મહાનુભાવ, ચિંતા ન કરશે, હું મારી બુદ્ધિથી એ તાપસ પાસેથી તમારા રત્ન અપાવીશ.” કહી કાંઈક વિચાર કરી બોલી, “કાલે હું તાપસના મઠે રત્નને થાળ લઈ જઈશ. તે પછી ડીવારે તમે ત્યાં આવી તમારાં રત્ન માંગજે.”
મહારાજા વેશ્યાની યુક્તિ સમજી ગયા. તે પછી બીજા દિવસને સમય નક્કી કર્યો. બીજે દિવસે નક્કી કરેલા સમયે વેશ્યા તાપસને મઠે જઈ વિનંતી કરતી કહેવા લાગી,