Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પોતાના ભણી ચૂકેલા પુત્ર માટે ધનદ શેઠે કન્યાની. શોધ કરવા તરફ નજર દેડાવવા માંડી. તપાસ કરતા કરતા તેણે સેળ ધનવાન શેકીઆએ આગળ કન્યાનું માંગું કરાવ્યું. તેથી કન્યા મળી ને લગ્નની તૈયારીઓ કરવા માંડી. પરંતુ ધનદ શેઠના પ્રત્યેક કાર્યમાં કાંઈને કાંઈ વિન આવવા માંડ્યું. અપશુકન થવા લાગ્યા.
વિદને અને અપશુકનથી ગભરાઈ “કેમ આમ થાય છે?” તેને તે વિચાર કરવા લાગે. વિચાર કરતા તેને યાદ આવ્યું “દીકરાના લગ્ન વખતે અવંતીનિવાસી વિકમને બેલાવ.
આ યાદ આવવાં જ બધું પડતું મૂકી તેણે અવંતી. જવા તૈયારી કરી. તેણે અવંતી આવી લેકેને વિક્રમ માટે પૂછવા માંડ્યું. ત્યારે લોકેએ કહ્યું, “અહીં તે કેટલાય વિકમ રહે છે, તમે કયા વિક્રમ માટે પૂછે છે? જવાબમાં ધનદ શેઠે વિક્રમના રૂપ, રંગ, શરીર અને ઉંમરનું વર્ણન કર્યું. આ સાંભળતાં જ “આ તે મહારાજાનાં જ લક્ષણ છે. તેવું તેમને લાગ્યું. ને તેમણે રાજમહેલને. રસ્તે બતાવ્યું.
ધનદ મહેલ પાસે આવ્યું, ત્યારે મહારાજા હાથીની અંબાડીમાં બેઠા હતા. ધનદે મહારાજાને જોયા અને મહાસજાની દૃષ્ટિ પણ ધનદ પર પડી. તે સાથે અંબાડીમાં બેઠે બેઠે પૂછ્યું, “ધનદ શેઠ, તમે તમારા પુત્રના લગ્ન કર્યા?”