Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૭૦
ત
*
LER
બ્રાહ્મણ મહારાજાને ચમારણને વૃત્તાંત કહે છે.
પિયર જઈ પોતાના માબાપની આગળ પોતાના પતિના અવગુણ ગાવા માંડયાં.
એક દિવસ-બીજે દિવસ-ત્રીજો દિવસ છે. આ દિવસોમાં તેનાં માબાપે તેને આશ્વાસન આપી સમજાવવા માંડ્યું. ને કહ્યું, “બેટા, પોતાના પતિનું કહેવું માની સંસારમાં રહેનાર જ સ્ત્રી કુળવતી કહેવાય છે. કુળવતી સ્ત્રી માટે પતિનું જ શરણ સર્વોત્તમ છે. તેથી તારે તારા સાસરે જ જવું જોઈએ. પિયરની પાલખી કરતાં સાસરાની સૂળી સારી.”
પદ્માના માબાપના આ શબ્દો બહેરા કાને જ પડયા, તે તેનાં માબાપને કહેવા લાગી, “મારું અપમાન કરવામાં આવ્યું છે. માટે હું ત્યાં જવાની નથી તે નથી જ”