Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૩૦
બતાવી શકે તે રાજ્ય છેડી ચાલ્યા જવા કહ્યું. ન્યાયી અતિસારે હિસાબ બતાવવા માંડે. પણ મહારાજાએ તેમાં વાંધાવચકા પાડવા માંડયાં. પરિણામે તેમની માલમિત જપ્ત કરવામાં આવી. ને તેમનાથી ઉપાડાય તેટલે સમાન ઉપાડી અવંતી છોડી ચાલવા માંડ્યું. ત્યારે લોકોએ પ્રશંસા-નિંદા કરવા માંડી. મરજીમાં આવે તેમ કહેવા માંડ્યું.
રાત દિવસ ચાલતાં ત્રાસ વેઠતાં તેઓ રત્નપુર આવ્યાં. લેકેને પૂછતાં નગરનું નામ જાણ્યું, રાજાનું નામ રત્નસેન, રાણીનું નામ રત્નાવતી. રાજકુમારનું નામ ચંદ્રકુમાર અને રાજકુમારીનું નામ વિશ્વલેચના છે તે જાણ્યું.
આ નગરમાં રહી મંત્રીએ ધ કરવા માંડે. પણ જ્યાં ભાગ્યે જ પલટાયું હોય ત્યાં થાય શું ? ગરીબી સાથે ગૃહકલેશ વચ્ચે, ત્યારે નાની વહુએ છાણાથી રત્ન કાઢી તેના સસરા, બને જેઠે અને પતિને ખ્યા. તે રને લઈ ધંધો કરવા તેઓ દૂર દેશાવર ચાલ્યા જા.
પતિની ગેરહાજરીમાં સ્ત્રીને માથે શુ આફત આવે છે તેને વિચાર કરી પિતાની જેઠાણી સાથે બીજે ગામ તે ચાલી ગઈ. અને ત્યાં જઈ એક વૃધ્ધાના ઘરમાં પુરુષના વેશમાં તેણે રહેવા માડયું તેણે પિતાની પાસેના રનેમાંથી એક રત્ન વટાવી ઘર ચલાવવા માંડ્યું. તેણે એક વૃદ્ધાને પણ ચાકરીમાં રાખી. એ વૃદ્ધા ઘર માટે જોઇતું કરતું લાવી દેતી..