Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૩૮
અને સુપાત્ર દાન મેાક્ષ આપનાર છે. અનુકંપાદન, ઉચિતદાન અને કીર્તિદાન એ ભાગસામી આપનાર છે.”
સાધુઓના શબ્દો સાંભળી દીન-દુઃખીઓને પણ રાજાએ ખૂબ ખૂબ દાન આપ્યું. તે પછી અધારપછેડી એઠી નગરચર્ચા જોવા મહારાજા નીકળ્યા. ફરતા ફરતા રાજ પુરાદ્ધિતના ઘર પાસે આવ્યા. ત્યાં દેવદમનીની બહેન હરિતાલી વસ્ત્રાભૂષણ પહેરી ત્યાં આવી. તેણે માલણ જઇતુને ઉતાવળથી જતી જોઈ પૂછ્યું, “ કેમ આટલી બધી ઉતાવળમાં ?” જવાબમાં જઇતુએ કહ્યું, “ પાતાળમાં નાગશ્રેષ્ઠીના વિવાહ આજ રાતના ધામધૂમથી થશે. ત્યાં નાગકુમારો ભેગા થશે માટે ત્યાં ફૂલની છાખ લઈ જવાનુ છે.”
“ મને પણ નિમંત્રણ છે. તેથી વસુધાસ્ફોટન ઇ.ડ લઈને ઉદ્યાનમાં ચાગિનીએ સાથે થાડા સમય આનંદપ્રમાદ કરવા જાઉં છું. તું પુરોહિતની પુત્રી ગામતીને વિષનાશક દંડ લઈ ત્યાં આવવા કહે. આપણે બધાં ભેગાં થઈ ને જઇશું.” કહી હરિતાથી ચાલી ગઈ. જઇતુએ પુરાહિત પુત્રીને સમાચાર આપ્યા. બંને જણીએ તૈયાર થઈ ખહાર નીકળી ત્યારે જતુએ કહ્યું, “મારાથી આ ભાર ઉંચકાતા નથી, જો. કોઈ બટુક–નાકર મળી જાય તેા મહેનતાણું આપી તેની પાસે ઉંચકાવીએ.”
''
મહારાજા વિક્રમે આ સાંભળ્યુ' એટલે બટુકનુ સ્વરૂપ ધારણ કરી તેમની પાસે આવ્યા. બટુક રૂપધારી મહારાજાને