Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૧૩૦
કૌટિકે સંન્યાસીના કહ્યા પ્રમાણે કરી સેવક સાથે પાણીમાં જઈ ઊભેા.
કૌટિક અને તેના સેવકના ગયા પછી પેલા ચારે તેમનાં કપડાં, હથિયાર વગેરે જે વસ્તુઓ તેઓ ત્યાં મૂકતા ગયા હતા તે લઈ, વેશ્યાને ત્યાં જઈ બધી વસ્તુ મૂકી તેણે બનેલા બનાવ કહ્યો. ચારની વાત સાંભળી વેશ્યા ખાલી, “ તમે ચારોના શિરામણ છે. તમે કૌટિકને અત્યારે ખરાખર સાન્યા છે.”
સવાર થતાં પનિહારીઓ સરોવરે ગઈ. તેમણે કૌટિકને જોયા એટલે કહેવા લાગી, “અરે, આ તે કૌટિક છે, જેણે ચારને પકડવા કહ્યું હતું, તેથી ચારે તેની આ દશા કરી છે. તેણે લેાકાને ઘણા છેતર્યાં છે, તેથી તેને અહીંયાં જ તેનાં કનાં ફળ મળી રહ્યાં છે, પરલાકમાં તે તની કાણુ જાણે શુય દશા થશે.”
લકાના મોઢેથી કૌટિકની થયેલી દશાની વાત મત્રીએએ સાંભળી ને રાજા પાસે ગયા ને કહ્યું, મહારાજ ! ચારને પકડવા માટે એ દિવસ બાકી છે ને તમે કૌટિકને સજા કરી ?”
66
“ જુગારી કૌટિકને મેં સજા કરી નથી.” મહારાજે કહ્યું એટલે મત્રીઓએ કહ્યું, “ તા અમારી સાથે તમે સાવરે ચાલો ને તેની થયેલી વિચિત્ર દશાને જુઓ.”