Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૭૮
બોલાવી સોળ લાખ સેના મહેરે અપાવી ને તે શ્રેષ્ટી સમય જતાં કેટયાધિપતિ થયે. - મહારાજાએ પ્રજાના સુખની ચિંતા કરતાં જુગાર, મદિરા,શિકાર, વેશ્યાગમન, ચેરી, વ્યભિચાર આ સાત વ્યસને ન કરવા આદેશ આપે. એ વ્યસનથી પ્રજા બચે તે માટે સમયે સમયે ચગ્ય પ્રચાર કરતા. પરિણામે પ્રજા એ વ્યસનથી દૂર રહેવા લાગી. મહારાજા વિક્રમ વ્યસનને દેશવટો આપી રહ્યા હતા, ત્યારે પણ કેટલાક ચેર ચેરી કરતા હતા. આ માટેની ફરિયાદ કરવા સુવર્ણ, મણિ અને વસ્ત્ર બજારના. વેપારીઓ મહારાજા પાસે આવ્યા. તેમણે પિતાની ફરિયાદ સંભળાવી. મહારાજાએ ફરિયાદ સાંભળી ઘટતું કરવાનું કહ્યું, વેપારીઓ ગયા. મહારાજાએ ચાર રસ્તે ચોકીદારે ગોઠવ્યાપણ...પણચરે હાથમાં આવતા ન હતા.
લેક પાસેથી કર લેવાવાળે પણ ચોરેથી પ્રજાનું રક્ષણ નહિ કરનારે રાજા ચોરીના પાપવાળે થાય છે. આવું સ્મૃતિમાં કહેવાયું છે.
મહારાજાના મનમાં આ વિચાર રમતું હતું તેથી ચોરને પકડવા તલવાર લઈ એકલા જ મહેલમાંથી બહાર નીકળ્યા. '
રાજા ફરતા ફરતા માણેકમાં પહેચા. તે વિચારવા લાગ્યા, “જરૂર ચેરે અહીં આવશે.” વિચારતા રાજા ધીર ધીરે આગળ વધતા રોકમાં પહોંચ્યા, ત્યાં તેમને કેટલાક