Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૯૦
પંચદંડવાળું છત્ર હોઈ શકે ખરું? આવું છત્ર મેં ક્યારે પણ જોયું નથી. તેમ તેના વિષે સાંભળ્યું પણ નથી.”
વિચારવશ રાજાની સવારી મહેલે પોંચી ત્યાં પણ દેવદમનીના શબ્દોના પડઘા પડતા હતા. એ પંચદંડ છત્ર તેમને માટે રહયપૂર્ણ વસ્તુ બની ગયું હતું.
મહારાજાએ મહેલમાં આવી દેવપૂજા કરી ભોજન કર્યું. તે પછી દેવદમનીને બેલાવવા દૂત મોકલ્ય, દૂતે નાગદમનીને ત્યાં આવી કહ્યું, “હે નાગદમની, તારી પુત્રીને મહારાજા. બોલાવે છે.”
કેમ? ” નાગદમનીએ પૂછયું, જવાબમાં દૂતે કહ્યું, મહારાજ સમક્ષ એ તારી દીકરીએ કોઈને કોઈ બાફયું હશે, એ બટકબોલીને મારી સાથે મોકલ”
નજીવી વાતની મહારાજ ગાંઠ વાળશે તે પ્રજાને કાંઈ પણ બોલવાની છૂટ રહેશે નહિ નાગદમનીએ કહ્યું, રાજા તે ઉદાર અને પ્રજાવત્સલ હવે જોઈએ, જેથી છોકરાં જેમ માબાપ આગળ છૂટથી બેલી શકે છે તેમ તે બોલી શકે”
મહારાજ કાંઈ તારી દીકરીને શિક્ષા કરવાના નથી. પણ પંચદંડવાળ છત્ર માટે પૂછવાના છે.”
તે રાજાને કહો.નાગદમનીએ કહ્યું “ વિદ્યા વિનય વગર શેભતી નથી.”
હવે એ બધી વાતે રહેવા દે ને તારી દીકરીને મેકલ.”