Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૬
આવવા લાગે. મુંઝાતા મંત્રીએ સૂરીશ્વરને પૂછયું, “હજી તીર્થ કેટલું દૂર છે? જવાબમાં સૂરીશ્વરે કહ્યું, “આ તે કાશમીર દેશ છે. અહીંથી તીર્થ ધિરાજ બહુ દૂર છે.”
ગુરુદેવ.” મંત્રી છે. “રાજાની પ્રતિજ્ઞા અમને મૂંઝવી રહી છે.”
એમ. કહેતા સૂરીશ્વરે રાજાને બોલાવી કહ્યું, જન, બધાં મુંઝાય છે, ત્યારે શાસ્ત્રમાં કહ્યું છે, સાહસથી જે વ્રત લીધું હોય અને જે વિષમ અવસ્થા ઉત્પન્ન થઈ હોય તે તે વ્રતમાં છૂટ લઈ શકાય છે; નહિ તે ધર્મની અવહેલના થાય છે, તેના પર હે રાજન્ ! વિચાર કરે જોઈએ.” કહી સૂરીશ્વર તેને સમજાવવા લાગ્યા. પણ રાજાએ પિતાને નિર્ણય ફેરવ્યું નહિ. તેથી બધા ચિંતા કરતાં રાતે સૂતાં. અધિષ્ઠાયક શ્રી ગોમુખ યક્ષે બધાને સ્વપ્નમાં તે રાતે “સવારે શ્રી વિમલાચલ તીર્થ તેમની દષ્ટિ સમક્ષ લાવવામાં આવશે. માટે ચિંતા કરવી નહિ,’ કહ્યું.
સવાર થતાં બધાં આ સ્વપ્નની વાત કરવા લાગ્યાં. ને આગળ વધ્યાં. તે સાથે જ તેમની દષ્ટિએ શ્રી વિમલાચલ તીર્થ જણાયું. રાજાએ દર્શન કરી અન્નજળ લીધા. યાત્રીઓએ ભક્તિપૂર્વક દર્શન કરી જન્મ સફળ કર્યો.
હવે રાજા આગળ વધવા ડગલાં ભરે છે, પણ તે રાજા પા છે ને પાછો ત્યાં જ આવે છે, ત્યારે મંત્રીઓએ આમ કરવાનું કારણ પૂછ્યું, રાજાએ કહ્યું, “હું આગળ