Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
આજે એક અવધુત વેશધારી પુરુષ મંદિરમાં આવ્યું છે, તે પિતાના બે પગ લિંગ સામે લંબાવી સૂતે છે”
રાજાએ આ સાંભળી પૂજારીને કહ્યું, “જે તેને સમજાવી ઊઠવા કહેવા છતાં ન ઊઠે તે ચાબુક મારી ત્યાંથી કાઢે.”
રાજાના કહેવા પ્રમાણે કરવા છતાં શ્રી સિદ્ધસેનસૂરીશ્વર ન ઊઠયા, ત્યારે ચાબુકને માર મારવામાં આવ્યું. એટલે આશ્ચર્ય જેવું તે એ બન્યું, તે ચાબુકોનો માર અંતઃપુરમાં રાણીઓને વાગવા લાગે.
આ વાત અંતઃપુરની દાસીઓએ આવી મહારાજાને કહી. એ વાત સાંભળતાં જ મહારાજ ઉતાવળે મંદિર તરફ ચાલ્યા ને મંદિરે આવી અવધૂતને કહ્યું, “તમે કલ્યાણ અને મેક્ષ આપનાર શિવજીની સ્તુતિ કરે, લેકે દેવેની સ્તુતિ કરે છે, અનાદાર નહિ.”
રાજન” સૂરિજીએ કહ્યું, “મહાદેવ મારી સ્તુતિ સહન કરી શકશે નહિ.”
સહન કેમ નહિ કરે? જરૂર કરશે.” રાજાએ કહ્યું, “તમે મહાદેવની સ્તુતિ કરે.”
મારી સ્તુતિથી દેવને કાંઈ વિન થાય તે મને દેષ ન આપશે” સૂરિજીએ કહ્યું.
સૂરિજીએ રાજાને આ કહ્યું, છતાં રાજાએ સ્તુતિને માટે આગ્રહ ચાલુ રાખ્યું.