Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
ર૯૭
આ પ્રમાણે રાજાને ધર્મમાર્ગે ચાલવા સમજાવી રાજાને તેમજ પુત્રને બબ્બે દિવ્ય રત્ન આપી દેવી સ્વર્ગમાં ગઈ.
તે પછી રાજાએ બધાં જ વ્યસન છેડી નગરમાં રત્ન જડિત એક સુંદર જૈન મંદિર બનાવ્યું. અને સેળમાં ભગવંત શ્રી શાંતિનાથની પ્રતિમાને ધામધૂમથી પૂજ્ય સૂરીશ્વરેના હસ્તકમળથી પ્રતિષ્ઠા કરાવી.
ધર્મથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીને ધર્મમાં જ વાપરવી જોઈએ, કેમ કે ધર્મ લમીની વૃદ્ધિ કરે છે. ને લમી ધર્મની વૃદ્ધિ
જે સદાચારી પુરુષ નિર્મળ મનથી પોતાની શક્તિથી ધન દ્વારા મેક્ષ માટે સુંદર જિનાલય બનાવે છે, તે રાજેન્દ્ર તેમ જ દેવેન્દ્રોથી પૂજાત તીર્થકર પદને મેળવે છે. જે જિનમતને પામી પોતાને કુળને પ્રકાશિત કરે છે તેનું જીવન સફળ છે.
જિનાલય બંધાવવું, પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવી, તીર્થ યાત્રા કરવી, ધર્મ પ્રભાવના કરવી, અહિંસા-પ્રાણુઓને નાશ ન કરવાની ઘોષણા કરવી તે બધું મહાપુણ્ય આપનાર છે. * એક દિવસે રાજાએ સુંદર પુષ્પથી શ્રી શાંતિનાથની પૂજા કરીને મનેહર નૈવેદ્ય કર્યું અને ઘણા ભક્તિભાવથી ઉત્તમ અર્થવાળાં સ્તોત્રોથી પ્રભુનાં ગુણ ગાવા લાગે.
- શ્રી શાંતિનાથ પ્રભુ સમક્ષ એકાગ્ર ચિત્તથી ભાવના કરતા કરતા શિવને ત્યાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.