Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૧૯૨
ભમાત્ર અને બ્રાહ્મણ વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ ચાલે છે, તેવામાં રાજકુમાર વિક્રમચરિત્ર એકાએક ત્યાં આવ્યે. શબ્દો બ્રાહ્મણના તેને જોતાં જ “એ કન્યા માટે આ વર ચેાગ્ય છે.” તેવા માઢામાંથી નીકળી પડયા.
ભટ્ટમાત્ર અવતીમાં આવી મહારાજાને મળ્યા ને પેલા બ્રાહ્મણે કહેલી બધી વાત કહી. તે સાંભળી મહારાજાએ ભમાત્રને કહ્યું, “હું ભટ્ટમાત્ર ! તમે ઉતાવળે વલ્લભીપુર જાવ અને વિવાહનુ` કા` પતાવી આવે.”
ભદ્રંમાત્ર વલ્લભીપુર જવા તૈયાર થયા, ત્યારે વિક્રમચરિત્રે પોતાના અંગત માણસને મંત્રીની સાથે મેલતાં કહ્યું, “ તમે બધા કન્યાને જોવા જાવ છે, પણ જો તે મારે લાયક હાય તે જ વિવાહનું નક્કી કરો, નહિ તે તે કા કરશે! નહિં. ”
“ ઠીક ,, કહી તેઓ સૈન્ય સાથે થઇ ગયા ને ભમાત્ર વિશાળ સેના લઈ રાતદિવસ ઢેખ્યા વિના માગળ વધત વલ્લભીપુર પાસે આવી પહોંચ્યા.
વલ્લભીપુરના રાજાએ આ સૈન્ય જોયું ત્યારે નવાઈ પામ્યા ને પેાતાના એક દૂતને ત્યાં મોકલ્યા. દૂત ભટ્ટમાત્રને મળી બધુ જાણી રાજા પાસે આબ્યા ને કહ્યું, “વિક્રમાદિત્યના મંત્રી રાજકુમારને વિવાહ કરવા આવેલ છે.
,,
કૃતથી કહેવાયેલા શબ્દો સાંભળી રાજાએ નગરના અહારના ભાગમાં તેમને મુકામ કરવા બધી વ્યવસ્થા કરી,