Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પ્રકરણ ઓગણીસમું . . .
. . બુદ્ધિનો પરિચય
વેશ્યાને ત્યાં રહેતા દેવકુમારે એક દહાડો વેશ્યાને પૂછયું, “નગરમાં હમણાં કઈ ચર્ચા ચાલે છે? રાજા શું કરે છે?
જવાબમાં વેશ્યાએ કહ્યું, “મહારાજાએ ભમાત્ર તેમજ બીજા મંત્રીઓને બેલાવી પૂછયું. “તમે બધા કહે, આ ચોર કેવી રીતે પકડાશે?”
“હે રાજન ! આ નગર ઘણું મોટું છે, ભટ્ટમાર્ગે કહ્યું, “તે ચેર કેઈના ઘરમાં રહ્યો છે. ને પ્રપંચથી-યુક્તિથી નગરમાં ચોરી કરે છે. જે તેને પકડ જ હોય તે આઠ લાખ દ્રવ્ય જેટલી ઉત્પન્ન આપતું ગામ ચોરને પકડનારને આપવામાં આવશે, તેનું જાહેર કરો.”
ભમાત્રના કહેવા પ્રમાણે કરવા રાજાએ કહ્યું.
નગરમાં મંત્રીઓએ ઢંઢેરો પીટાવ્ય, ઢઢરે પીટનાર વેશ્યાઓના મહોલ્લામાં કહી રહ્યો હતો. ત્યારે નગરની અગ્રણી વેશ્યાઓએ વિચાર કર્યો. “આપણે ત્યાં જ કેટલાય આવે છે. તેમાંથી કેઈ એકને પકડી “આ ચોર છે.” કહી