Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૧૦૯
કોટવાળને કપટી શ્યામલના શબ્દ ચગ્ય લાગ્યા. તેણે કહ્યું, “ તમે સાચું કહેા છે, પણ હું શું કરું? હું આ સ્થળ છોડી ઘેર જઈ શકતા નથી, તેમ પ્રતિજ્ઞાભંગની રાજા શું શિક્ષા કરશે તે પણ હું કહી શકતા નથી. તે તમે ઘેર જાઓ, અને બધાંને મળી ઉતાવળે ઘરની સપત્તિ અને ઘરનાં માણસાને કયાંક છુપાવી દે ને તમે પણ છુપાઈ જાવ.”
૮ બરાબર, પણ હું તમને મળીને આવ્યા છું, તે ઘરનાં કેમ માનશે ? ” શ્યામલે હ્યું, “તમે બધાંને તેમજ સપત્તિને સંતાડવાનું' કહ્યુ' છે તે તેઓ કેમ માનશે? માટે મામા ! મારી સાથે આ કહેવા કેાઇ સેવકને મેલા.”
("
તારુ કહેવુ ઠીક છે.” કહેતાં કોટવાળે આ સમાચાર કહેવા એક સેવકને શ્યામલ સાથે માકહ્યા, રસ્તે જતાં શ્યામલે સેવકને કહ્યુ, “ ઘેર જઇ કોટવાળે જે કહ્યું છે તે કહેજે, હું ઘણા વર્ષો પછી તીથ યાત્રા કરીને આવું છું, વર્ષાથી દૂર રહેલા હાઈ વખતે મને કોઈ ઓળખે પણ નહિ,” કહેતા શ્યામલ સેવક સાથે કોટવાળને ત્યાં પહોંચ્યા. ત્યાં જઇ સેવકે કાટવાળની સ્ત્રીને કહ્યું, “તમારા ભાણેજ શ્યામલ તી કરીને આવેલ છે.” અને તેની માને કહ્યું, “ તમારા દીકરા યાત્રા કરીને આવ્યેા છે તેના સત્કાર કરો.”
'
કપટી શ્યામલે સેવકની વાતા સાંભળી બધાના પરિચય મેળવી લીધા, અને “ મામી, માતા” વગેરે ખેલી બધાંને પ્રણામ કર્યાં-ગ્ય વિનય કર્યો.
??